પ્રિયંકા ગાંધીઃ મોદી સરકારે ભારતના લોકોને ઓછી વેક્સીન લગાવીને વધુ વેક્સીન વિદેશ કેમ મોકલી?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વેક્સીન સંકટ પર એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીનેશન કરાવવા માટે કેન્દ્ર સરકાર જોર આપી રહી છે પરંતુ દેશની રાજધાની દિલ્લી હોય કે અન્ય રાજ્ય લોકોને વેક્સીન નથી મળી રહી. વળી, બિન ભાજપશાસિત સરકારો કેન્દ્ર સરકારને વેક્સીનની કમી માટે જવાબદાર ગણી રહી છે. વળી, વિપક્ષ પણ સતત દેશમાં વેક્સીન સંકટ પર સતત પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વેક્સીન સંકટ પર એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને પીએમ નરેન્દ્ર મોદીના 15 ઓગસ્ટ 2020ના લાલ કિલ્લાના ભાષણનો હવાલો આપીને કહ્યુ કે મોદીજીના નિવેદન અનુસાર તેમની સરકાર ગયા વર્ષે જ વેક્સીનેશનના આખા પ્લાન સાથે તૈયાર હતી ત્યારે જાન્યુઆરી 2021માં માત્ર 1 કરોડ 60 લાખ વેક્સીનનો ઑર્ડર કેમ આપવામાં આવ્યો? આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે મોદીજીની સરકારે ભારતના લોકોને ઓછી વેક્સીન લગાવીને વધુ વેક્સાન વિદેશ કેમ મોકલી દીધી?
બીજા એક ટ્વિટમાં પ્રિયંકાગાંધીએ લખ્યુ કે દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત આજે બીજા દેશો પાસેથી વેક્સીન માંગવાની સ્થિતિમાં કેમ આવી ગયો અને વળી આ નિર્લજ્જ સરકાર આને પણ ઉપલબ્ધિની જેમ રજૂ કરવાની કોશિશ કેમ કરી રહી છે?
वैक्सीन संकट
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 26, 2021
➢ मोदीजी के बयान के अनुसार उनकी सरकार पिछले साल ही वैक्सीनेशन के पूरे प्लान के साथ तैयार थी, तब जनवरी 2021 में मात्र 1 करोड़ 60 लाख वैक्सीनों का आर्डर क्यों दिया गया?
➢ मोदीजी की सरकार ने भारत के लोगों को कम वैक्सीन लगाकर, ज्यादा वैक्सीन विदेश क्यों भेज दी? pic.twitter.com/SaYyPvOUlj












Click it and Unblock the Notifications
