MNS સ્ટાઇલમાં પ્રદર્શનઃ કાર ખરીદો અને પછી સળગાવો
મુંબઇ, 1 માર્ચઃ સામાન્ય રીતે વિરોધ પ્રદર્શન બાદ જ્યારે આગ ચાપવામાં આવે છે તો જાહેર સંપત્તિને નુક્સાન થાય છે. જો આ નુક્સાનથી બચવું હોય તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ની સ્ટાઇલમાં પ્રદર્શન કરો. પોતાની કાર ખરીદો અને પછી પ્રદર્શન દરમિયાન તેને સળગાવી દો.
કેવી રીતે ખુલી મનસેની પોલ
રાજ ઠાકરે અને અજીત પવારના નિવેદનો બાદ મુંબઇમાં જ્યારે હિંસા ભડકી તો કુર્લામાં મનસેની મારૃતિ કાર ફૂંકી દેવામાં આવી. મનસે કાર્યકર્તાઓએ એનસીપી કાર્યકર્તાઓને આરોપી બનાવતા પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી. જેથી પોલીસ એનસીપી કાર્યકર્તાઓને પકડે અને સાથે જ જે પબ્લિક પ્રોપર્ટી ફૂંકવામાં આવી છે, તેનો પર ચાર્જ તેમના પર લાગે. પરંતુ પોલીસના હાથે ટીવી ચેનલનું રેકોર્ડિંગ આવી ગયું, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મનસે કાર્યકર્તાઓએ આ કાર સળગાવી છે, જેનો ઉલ્લેખ એફઆઇઆરમાં કરવામાં આવ્યો હતો. પોલીસે મનસે કાર્યકર્તાઓની પૂછપરછ શરૂ કરી દીધી છે.