Psychological Test : કેવી રીતે થાય છે સાયકોલોજીકલ ટેસ્ટ?
માણસની તમામ ક્રિયાઓ તેની માનસિક સ્થિતીને આધારે જ હોય છે. જો માનસિક રીતે વ્યક્તિ વિકૃત થઈ જાય તો તે ગંભીર ગુનાઓને અંજામ આપે છે. જે કોલકત્તાની ઘટનામાં જોવા મળ્યુ છે.
જણાવી દઈએ કે, માનસિક બીમારી શોધવા માટે શા માટે સાયકોલોજિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. આ ટેસ્ટનો ઉપયોગ કેટલાક ખાસ કિસ્સામાં કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરની હત્યા અને બળાત્કારના કેસમાં સીબીઆઈએ આરોપી સંજય રોયનો સાઈકોલોજિકલ ટેસ્ટ કરાવ્યો હતો. નિષ્ણાતોનું માનવુ છે કે આરોપી સંજય SATYRIASIS હાઈપરસેક્સ્યુઆલિટી નામની બીમારીથી પીડિત હોઈ શકે છે.
શું છે આ ડિસઓર્ડર?
નિષ્ણાંતોના મતે મગજના કામકાજમાં ખલેલ થવાને કારણે આ ડિસઓર્ડર થાય છે. જ્યારે AIIMS દિલ્હીના પૂર્વ મનોચિકિત્સા વિભાગના ડૉ. રાજકુમાર કહે છે કે હાઇપરસેક્સ્યુઆલિટી એક માનસિક સમસ્યા છે. ઘણા કિસ્સાઓમાં મગજમાં હાજર ન્યુરોટ્રાન્સમીટરના કાર્યમાં ખલેલને કારણે પણ આવું થાય છે.
જણાવી દઈએ કે મગજમાં સેરોટોનિન, ડોપામાઈન અને નોરેપીનેફ્રાઈન હોય છે. તે વ્યક્તિના મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે આ સંતુલન બહાર હોય ત્યારે જાતીય ઇચ્છા અને વર્તનને અસર થઈ શકે છે.
સાયકોલોજીકલ ટેસ્ટ શું છે?
સવાલ એ છે કે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ શું છે અને તેનાથી આરોપીની ઓળખ કેવી રીતે થાય છે? જણાવી દઈએ કે આરોપીની તપાસ કરવાની આ એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં આરોપીની માનસિક વર્તણૂક જાણી શકાય છે.
આ ટેસ્ટ દ્વારા વ્યક્તિની માનસિક સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. આ દરમિયાન તેની વિચારસરણી કેવી છે તે જોવામાં આવે છે. આ સિવાય સામાન્ય લોકો સાથે તેનો વ્યવહાર કેવો છે અને તે કેટલો શાંત કે ગુસ્સે છે તેનું મુલ્યાંકન કરાય છે.
જણાવી દઈએ કે, આ ટેસ્ટ કોઈ પણ વ્યક્તિ કરી શકતો નથી. આ ટેસ્ટ મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિક નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન દર્દીને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે અને કેટલાક ફોટા બતાવવામાં આવે છે. આ બધા જવાબો પરથી ડૉક્ટર આરોપીની વિચારવાની અને સમજવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે.
આરોપીના કિસ્સામાં ડૉક્ટર આ ટેસ્ટ દરમિયાન કેસ સાથે સંબંધિત ઘણા પ્રશ્નો પણ પૂછે છે. આ ટેસ્ટ દ્વારા ડૉક્ટરો વ્યક્તિના વિચારો અને કાર્યો વિશે જાણી લે છે.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ











Click it and Unblock the Notifications
