Psychological Test : કેવી રીતે થાય છે સાયકોલોજીકલ ટેસ્ટ?
માણસની તમામ ક્રિયાઓ તેની માનસિક સ્થિતીને આધારે જ હોય છે. જો માનસિક રીતે વ્યક્તિ વિકૃત થઈ જાય તો તે ગંભીર ગુનાઓને અંજામ આપે છે. જે કોલકત્તાની ઘટનામાં જોવા મળ્યુ છે.
જણાવી દઈએ કે, માનસિક બીમારી શોધવા માટે શા માટે સાયકોલોજિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. આ ટેસ્ટનો ઉપયોગ કેટલાક ખાસ કિસ્સામાં કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરની હત્યા અને બળાત્કારના કેસમાં સીબીઆઈએ આરોપી સંજય રોયનો સાઈકોલોજિકલ ટેસ્ટ કરાવ્યો હતો. નિષ્ણાતોનું માનવુ છે કે આરોપી સંજય SATYRIASIS હાઈપરસેક્સ્યુઆલિટી નામની બીમારીથી પીડિત હોઈ શકે છે.
શું છે આ ડિસઓર્ડર?
નિષ્ણાંતોના મતે મગજના કામકાજમાં ખલેલ થવાને કારણે આ ડિસઓર્ડર થાય છે. જ્યારે AIIMS દિલ્હીના પૂર્વ મનોચિકિત્સા વિભાગના ડૉ. રાજકુમાર કહે છે કે હાઇપરસેક્સ્યુઆલિટી એક માનસિક સમસ્યા છે. ઘણા કિસ્સાઓમાં મગજમાં હાજર ન્યુરોટ્રાન્સમીટરના કાર્યમાં ખલેલને કારણે પણ આવું થાય છે.
જણાવી દઈએ કે મગજમાં સેરોટોનિન, ડોપામાઈન અને નોરેપીનેફ્રાઈન હોય છે. તે વ્યક્તિના મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે આ સંતુલન બહાર હોય ત્યારે જાતીય ઇચ્છા અને વર્તનને અસર થઈ શકે છે.
સાયકોલોજીકલ ટેસ્ટ શું છે?
સવાલ એ છે કે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ શું છે અને તેનાથી આરોપીની ઓળખ કેવી રીતે થાય છે? જણાવી દઈએ કે આરોપીની તપાસ કરવાની આ એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં આરોપીની માનસિક વર્તણૂક જાણી શકાય છે.
આ ટેસ્ટ દ્વારા વ્યક્તિની માનસિક સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. આ દરમિયાન તેની વિચારસરણી કેવી છે તે જોવામાં આવે છે. આ સિવાય સામાન્ય લોકો સાથે તેનો વ્યવહાર કેવો છે અને તે કેટલો શાંત કે ગુસ્સે છે તેનું મુલ્યાંકન કરાય છે.
જણાવી દઈએ કે, આ ટેસ્ટ કોઈ પણ વ્યક્તિ કરી શકતો નથી. આ ટેસ્ટ મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિક નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન દર્દીને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે અને કેટલાક ફોટા બતાવવામાં આવે છે. આ બધા જવાબો પરથી ડૉક્ટર આરોપીની વિચારવાની અને સમજવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે.
આરોપીના કિસ્સામાં ડૉક્ટર આ ટેસ્ટ દરમિયાન કેસ સાથે સંબંધિત ઘણા પ્રશ્નો પણ પૂછે છે. આ ટેસ્ટ દ્વારા ડૉક્ટરો વ્યક્તિના વિચારો અને કાર્યો વિશે જાણી લે છે.












Click it and Unblock the Notifications
