પુડુચેરીનો વિકાસ રોકી રહ્યા હતા કિરણ બેદી, છેવટે જનતાની થઈ જીતઃ સીએમ નારાયણસામી
કિરણ બેદીને હટાવાયા બાદ પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યુ કે આ રાજ્યની જનતાની જીત છે.
નવી દિલ્લીઃ પુડુચેરીની કોંગ્રેસ સરકાર અને ઉપરાજ્યપાલ કિરણ બેદીમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે કિરણ બેદીને તેમના પદ પરથી હટાવી દીધા. કિરણ બેદીના સ્થાને તેલંગાનાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજનને પુડુચેરીના ઉપરાજ્યપાલનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવાયા બાદ પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યુ કે આ રાજ્યની જનતાની જીત છે. સીએમ નારાયણસામીએ આરોપ લગાવ્યો કે કિરણ બેદી પુડુચેરીમાં એક સમાનાંતર સરકાર ચલાવી રહ્યા હતા.

મુખ્યમંત્રી વી નારાયણ સામીએ કહ્યુ, 'અમારા દબાણના કારણે ભારત સરકારે કિરણ બેદીને પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી હટાવી દીધા. આ પુડુચેરીને જનતાની એક મોટી જીત છે. કિરણ બેદીએ રાજ્યની સરકારની કલ્યાણકારી યોજનાઓને રોકીને પુડુચેરીના વિકાસમાં અડચણો નાખી. અમે છેલ્લા સાડા ચાર વર્ષથી કિરણ બેદીને હટાવવાની માંગ કરી રહ્યા હતા અને આના માટે અમે કેન્દ્ર સરકાર સામે એક લાંબી લડાઈ લડી. આ મુદ્દે અમે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને જ નહિ પરંતુ જનતાની વચ્ચે પણ ગયા. કિરણ બેદીને હટાવવાની માંગ માટે અમે ઘણા આંદોલન કર્યા.'
કિરણ બેદીએ ચૂંટેલી સરકારને નજરઅંદાજ કરીઃ નારાયણ સામી
નારાયણસામીએ આગળ કહ્યુ, 'આજે પુડુચેરીની જનતા ખુશ છે કારણકે અત્યાર સુધી તેમના માટે કરવામાં આવી રહેલ વિકાસ કાર્યોને રોકવામાં આવી રહ્યા હતા. કિરણ બેદી જનતાની ચૂંટેલી સરકારને નજરઅંદાજ કરી રહ્યા હતા. રોજ પ્રશાસનિક કાર્યોમાં તેમનો હસ્તક્ષેપ વધી રહ્યો હતો. દેશના ઈતિહાસમાં આવુ પહેલા ક્યારેય સાંભળ્યુ નથી કે ઉપરાજ્યપાલ રાજ્ય સરકારના અધિકારીઓને સીધા નિર્દેશ આપે. આ રીતે કિરણ બેદી પુડુચેરીમાં સમાનાંતર સરકાર ચલાવી રહ્યા હતા જે સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધ છે.'
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
