રાત પસાર કરવા માટે સીએમ ખટ્ટરે લેવી પડી હાઈકોર્ટની શરણ, જાણો શું છે મામલો
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રાતે સુનાવણી થઈ જે સીએમ મનોહરલાલ ખટ્ટરના જીંદમાં રોકાવા પર વાંધો દર્શાવ્યા બાદ રાજ્ય સરકારના વકીલ દ્વારા ફાઈલ કરાવવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે રવિવારે મતદાન થશે. હરિયાણાની 10 લોકસભા સીટો પર પણ 12મેના રોજ મતદાન થવાનું છે. આ દરમિયાન એક ખૂબ જ અલગ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રાતે સુનાવણી થઈ જે સીએમ મનોહરલાલ ખટ્ટરના જીંદમાં રોકાવા પર વાંધો દર્શાવ્યા બાદ રાજ્ય સરકારના વકીલ દ્વારા ફાઈલ કરાવવામાં આવી હતી. વાસ્તવમાં, ચૂંટણી પ્રચાર 10મેના રોજ સમાપ્ત થઈ ગયુ હતુ અને 12મેના રોજ થનાર મતદાનને જોતા જીંદમાં સીએમના રોકાવા પર રિટર્નિંગ ઓફિસરે વાંધો વ્યક્ત કર્યો હતો.

રાતે 10.30 વાગે હાઈકોર્ટમાં થઈ સુનાવણી
હાઈકોર્ટના જજ રાજીવ શર્મા અને એચએસ સિદ્ધુની પીઠે મહાધિવક્તા કાર્યાલય દ્વારા તત્કાળ સુનાવણીની માંગ કર્યા બાદ લગભગ 10.30 વાગે સુનાવણી કરી. લગભગ 20 મિનિટની સુનાવણી બાદ અદાલતે સીએમને જીંદ/નરવાનામાં સરકારી વિશ્રામ ગૃહમાં આખી રાત રોકાવાની અનુમતિ આપી દીધી. બેંચે આ દલીલને સ્વીકારી લીધી કે સીએમ મોટી એક વારમાં 340 કિલોમીટરનું અંતર કાપવુ મુશ્કેલ રહેશે કારણકે બપોર બાદ હવામાનમાં ફેરફાર થવો શરૂ થઈ ગયો હતો અને ધૂળ ભરેલી આંધી ચાલી રહી હતી.

મંડીમાંથી આવતી વખતે જીંદમાં રોકાયા સીએમ ખટ્ટર
સીએમ ખટ્ટરે સિરસામાં મંડી ડબવાળીથી એક હેલીકોપ્ટરથી પાછુ જવાનું હતુ, જ્યાં તે શુક્રવારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ ધૂળ સાથેના વાવાઝોડાના કારણે હેલીકોપ્ટર ઉડાન ભરી શક્યુ નહિ. એટલા માટે રસ્તા પર થઈને જીંદના નરવાનામાં રાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર (રિટર્નિંગ ઓફિસર) પ્રચાર સમાપ્ત થયા બાદ જીંદમાં સીમના રોકાવા પર વાંધો દર્શાવ્યો. રિટર્નિંગ ઓફિસરે કહ્યુ કે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ મંત્રી અને ધારાસભ્ય સંસદીય ક્ષેત્રમાં ન રોકાઈ શકે પરંતુ તે એ જગ્યાના મતદાર નથી.

રિટર્નિંગ ઓફિસરે વ્યક્ત કર્યો વાંધો
આ કેસમાં સીએમઓએ રાજ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી કમિશનનો સંપર્ક કર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યુ નહિ. ત્યારબાદ રાતે 8 વાગે આ મામલે એક અરજી કરવામાં આવી અને ચીફ જસ્ટીસ કૃષ્ણ મુરારીને સ્પેશિયલ બેચની રચના કરી કેસની સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો. કેન્દ્ર અને ચૂંટણી પંચના વકીલોને પણ આ કેસમાં સૂચિત કરી દેવામાં આવ્યા. બેંચે આ કેસમાં રાતે 10.30 વાગે સુનાવણી કરી અને અડધી રાતે લગભગ આ કેસમાં ચુકાદો આવ્યો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
