પંજાબથી દિલ્લી ધૂમાડો ના પહોંચી શકે, ઝેરી હવા માટે હરિયાણા જવાબદારઃ મંત્રી ધાલીવાલ
પંજાબના કૃષિમંત્રી કુલદીપ ધાલીવાલનુ કહેવુ છે કે દિલ્લીના પ્રદૂષણ માટે પંજાબને દોષી ઠેરવી શકાય નહિ.
અમૃતસરઃ પંજાબના કૃષિમંત્રી કુલદીપ ધાલીવાલનુ કહેવુ છે કે દિલ્લીના પ્રદૂષણ માટે પંજાબને દોષી ઠેરવી શકાય નહિ. તેમણે આજે કહ્યુ હતુ કે પંજાબમાં પરાલી સળગાવવી એ દિલ્લીમાં પ્રદૂષણ ફેલાવાનુ કારણ ન હોઈ શકે. દિલ્લીના પ્રદૂષણમાં હરિયાણાના રોહતક, પાણીપત અને સોનીપતનો ફાળો છે. કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યુ કે પંજાબનુ પ્રદૂષણ દિલ્લી સુધી કેવી રીતે પહોંચી શકે?

કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલને આ સિવાય જ્યારે તેમને પરાલી સળગાવવાના ઉપાય વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ, 'જ્યાં સુધી ડાંગરની વાત છે, અમે ભાગ્યે જ તેનો ઉપયોગ કરીએ છીએ. અમે લગ્ન કે પ્રસંગો દરમિયાન તેનુ સેવન કરીએ છીએ. અમે તેને દેશના બાકીના ભાગમાં ઉગાડીએ છીએ. ડાંગરના કારણે અમારુ પાણીનું સ્તર નીચે આવ્યુ છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય ડાંગરની ખેતી ઓછી કરવી અને ખેડૂતોને અન્ય પાક ઉગાડવા પ્રોત્સાહિત કરવાનો છે.
જ્યારે મંત્રી ધાલીવાલને પૂછવામાં આવ્યુ કે કેન્દ્ર દ્વારા પરાલીના મેનેજમેન્ટ માટે આપવામાં આવેલા મશીનો કેમ બેકાર પડેલા છે, તો તેમણે કહ્યુ, 'અમે નોંધણી શરૂ કરી દીધી હતી. 30 હજાર બહાર મોકલવામાં આવ્યા હતા. પરંતુ ગામડાઓમાં સામાજિક માળખાને કારણે તેનો યોગ્ય ઉપયોગ થતો નથી.' પંજાબના કૃષિ મંત્રીએ કહ્યુ કે મશીનોની માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે. અમને બે લાખ મશીનની જરૂર છે પરંતુ અમારી પાસે માત્ર 1.20 લાખ છે.
પંજાબના મંત્રી ધાલીવાલે પરાલીની સમસ્યા માટે કેન્દ્રને જવાબદાર ઠેરવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, 'હું કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને હરિયાણાના કૃષિમંત્રી સાથે પંજાબની મુલાકાત લેવાનુ કહેવા માંગુ છુ. અમે તેમને વાસ્તવિકતા બતાવીશુ.' ધાલીવાલે કહ્યુ કે, 'કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પોતાના ખિસ્સામાંથી મશીનો આપ્યા નથી. તે રાજ્યના GST ભાગમાંથી બહાર છે. આ ગડબડ માટે કેન્દ્ર જ જવાબદાર છે.'
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
