પંજાબઃ અમરિંદર સિંહ જલ્દી બનાવી શકે છે પોતાની પાર્ટી, ભાજપ સાથે ગઠબંધન અંગે ચર્ચા તેજ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પોતાની ખુદની રાજકીય પાર્ટી ટૂંક સમયમાં બનાવી શકે છે.
ચંદીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પોતાની ખુદની રાજકીય પાર્ટી ટૂંક સમયમાં બનાવી શકે છે અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)સાથે ગઠબંધન કે સીટ સમાયોજન પર પણ વિચાર કરી શકે છે. આ બાબતે જોડાયેલ એક પરિચિતે કહ્યુ છે કે પંજાબમાં આગામી ચૂંટણીને લઈને કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં પોતાની રાજકીય પાર્ટીની ઘોષણા કરી શકે છે. અમરિંદર સિંહે હાલમાં જ કોંગ્રેસ છોડવાના પોતાના ઈરાદાની ઘોષણા કરી છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પોતાની લેટેસ્ટ બેઠકો બાદ કહ્યુ હતુ કે તે કોઈ રાજકીય બેઠક નહોતી. પરંતુ આ સાથે જ તેમણે રાજકીય પાર્ટીની ઘોષણાવાળા સમાચારોનુ ખંડન નહોતુ કર્યુ.

હિંદુસ્તાન ટાઈમ્સે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબમાં આવનારી વિધાનસભા ચૂંટણીને જોતા જલ્દી પોતાની રાજકીય પાર્ટીનુ એલાન કરી શકે છે. વળી, સીટોની સમજૂતી માટે ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. જો કે અમરિંદર સિંહે થોડા દિવસ પહેલા એ તો સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે ભાજપમાં શામેલ નથી થવાના.
હું મીડિયાના નિવેદનોના માધ્યમથી રાજનીતિ નહિ કરુઃ અમરિંદર સિંહ
કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટી બનાવવા અને આગળની યોજનાઓ પર વાત કરીને કહ્યુ હતુ કે તે મીડિયાના નિવેદનોના માધ્યમથી રાજનીતિ કરવાના નથી. અમરિંદર સિંહે કહ્યુ હતુ, 'હું મેદાનમાં, લોકોની અદાલતમાં પોતાની લડાઈ લડીશ. મીડિયામાં જે કંઈ બોલવામાં આવી રહ્યુ છે, હું મીડિયાના માધ્યમથી રાજનીતિ કરવામાં વિશ્વાસ નથી રાખતો.' અમરિંદર સિંહે કહ્યુ છે કે તે ફરીથી દિલ્લીની યાત્રા કરી શકે છે. જ્યાં તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ(જી23ના નેતાઓ) સાથે બેઠક કરશે અને જાણવાની કોશિશ કરશે કે છેવટે પાર્ટીની જર્જર સ્થિતિ આવી કેવી રીતે થઈ ગઈ અને કઈ રીતે તેના મામલાઓને ચલાવવામાં આવી રહ્યા છે.
ટેકનિકલ રીતે હજુ પણ કોંગ્રેસમાં છે અમરિંદર સિંહ
આમ જોવા જઈએ તો ટેકનિકલ રીતે કેપ્ટન અમરિંદર સિંહ હજુ પણ કોંગ્રેસમાં છે પરંતુ તેમણે કહ્યુ છે કે તેમનો પાર્ટીમાં રહેવાનો ઈરાદો નથી. ઔપચારિક રીતે તેમની વિદાય થઈ શકે છે જ્યારે તેમની રાજકીય યોજનાઓ પૂરી થઈ જશે. અમરિંદર સિંહે કહ્યુ, 'હું જી-23ને મેદાનમાં ઉતરવા, સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરવાના બદલે લોકો સુધી પહોંચવા માટે કહીશ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
