ખેડૂત આંદોલનઃ દિલ્લી ટ્રેક્ટર રેલી હિંસામાં ધરપકડ કરાયેલ દરેક પ્રદર્શનકારીને 2 લાખ રૂપિયા આપશે પંજાબ સરકાર
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની દિલ્લી ટ્રેક્ટર રેલી હિંસામાં ધરપકડ કરાયેલ દરેક પ્રદર્શનકારીને 2 લાખ રૂપિયા આપશે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે(12 નવેમ્બર) 26 જાન્યુઆરીએ દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્લી પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા 83 લોકોને વળતર તરીકે 2 લાખ રુપિયા આપવાની ઘોષણા કરી. પંજાબ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારમાં વિવાદ ઉભો થઈ શકે છે. પંજાબ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ, 'ત્રણ કાળા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનનુ સમર્થન કરવા માટે મારી સરકારના વલણનુ પુનરાવર્તન કરીને, અમે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં ટ્રેક્ટર રેલી કરવા માટે દિલ્લી પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા 83 લોકોને 2 લાખ રુપિયાનુ વળતર આપવાનો નિર્ણય કર્યો છે.'

26 જાન્યુઆરી, 2021એ પ્રદર્શનકારીઓને નવી દિલ્લીમાં પ્રવેશ કરવા માટે બેરિકેડ્ઝ તોડી દીધા અને 26 જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીના વિરોધ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં પોલિસ સાથે ભિડાઈ ગયા હતા. ત્યારબાદ દિલ્લી પોલિસે કાર્યવાહી કરીને 83 લોકોની ધરપકડ કરી હતી અને ઘણાઓ પર કેસ પણ નોંધવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ દિલ્લીમાં સ્થિત મુઘલ કાળના પ્રતિષ્ઠિત સ્મારક લાલ કિલ્લામાં પણ રેલી દરમિયાન 26 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ કર્યો હતો અને તેની પ્રાચીર પરથી પોતાના ઝંડા લહેરાવ્યા હતા. લાલ કિલ્લાના અમુક ભાગોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ખેડૂતો ત્રણ નવા અધિનિયમિત કૃષિ કાયદા સામે ગયા વર્ષે 26 નવેમ્બરથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની વિવિધ સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રએ નવા દોરની વાતચીત કરી છે પરંતુ વિરોધ ચાલુ છે.
ખેડૂત આંદોલનમાં શામેલ ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમમાં છે. તે ત્રણ કૃષિ કાયદા છે - ખેડૂત ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) અધિનિયમ, 2020, ખેડૂત અધિકારિતા અને સંરક્ષણ(મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા) અધિનિયમ 2020 અને જરૂરી વસ્તુ(સુધારા) અધિનિયમ, 2020.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
