પંજાબ: ભગવંત માનની ઓફિસમાં હવે કર્મચારીઓને નહી મળે ફ્રિમાં ખાવાનુ, નકામાં ખર્ચાઓ પર મુકાયો કાપ
પંજાબ સચિવાલય સ્થિત સીએમ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હવે મફતમાં ચણાના લોટની બરફી અને પનીર પકોડા ખાઈ શકશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલયે આ સંદર્ભે આદેશ પત્ર પણ જારી કર્યો છે. ભભગવંત માને ઘણા ખર્ચાઓ પર કાપ મૂક્યો છે. મુખ્યમ
પંજાબ સચિવાલય સ્થિત સીએમ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હવે મફતમાં ચણાના લોટની બરફી અને પનીર પકોડા ખાઈ શકશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલયે આ સંદર્ભે આદેશ પત્ર પણ જારી કર્યો છે. ભભગવંત માને ઘણા ખર્ચાઓ પર કાપ મૂક્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારીઓને મળવા આવનાર લોકોને પણ ચાની સાથે બિસ્કિટ જ આપવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જારી કરાયેલા પત્રમાં વ્યર્થ ખર્ચ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલયની અલગ-અલગ શાખાઓમાં કામ કરતા અધિક્ષક અને સુરક્ષા અધિકારી (ડીએસપી) હવે માત્ર ચા અને બિસ્કિટ માટે જ સ્લિપ ભરી શકશે. નોંધપાત્ર વાત એ છેકે મુખ્યમંત્રી કાર્યાલય પર ખર્ચવામાં આવતા ભંડોળમાં ઘટાડો થયો છે. દૂધની ખરીદીમાં પણ ઘટાડો થયો છે. કોંગ્રેસ સરકાર દરમિયાન નાણાપ્રધાન મનપ્રીત સિંહ બાદલે પણ ખર્ચમાં કાપને ટાંકીને તેમની ઓફિસની બહાર નોટિસ લગાવી હતી કે 'કૃપા કરીને ચા પીવા માટે પૂછશો નહીં'. તેમણે પોતાની ઓફિસમાં ચા અને પકોડા પર પણ રોક લગાવી હતી. આ આદેશો હવે AAP સરકાર દ્વારા પણ જારી કરવામાં આવ્યા છે.
AAP સરકાર માટે રાજ્યને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો પડકાર છે. માન સરકારે સત્તામાં આવ્યાના ત્રણ મહિના બાદ 8000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે, સરકારે 10,500 કરોડની લોન પણ માફ કરી દીધી છે. નાણામંત્રી ચીમાએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે વર્ષ 2020-21માં 42 હજાર 386 કરોડની લોન લીધી હતી. 2021-22માં 41 હજાર 83 કરોડની લોન લેવામાં આવી હતી. પંજાબ સરકારની લોન મર્યાદા 55 હજાર કરોડ છે. ચીમાએ કહ્યું હતું કે AAP સરકારે એક વર્ષમાં મહત્તમ 35 હજાર કરોડથી વધુની લોન ન લેવાનું કહેવામાં આવ્યુ હતું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
