Punjab News : મુખ્યમંત્રી માને પંજાબીઓ માટે કરી મોટી જાહેરાત, કહ્યું આવતી 15 ઓગસ્ટ પહેલા
Punjab News : દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે આખો દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પટિયાલામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મુખ્ય સચિવ અનુરાગ વર્માએ મુખ્યમંત્રી સાથે ડીજીપી પંજાબની સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, મોટાભાગના શહીદો પંજાબી હતા.

પંજાબીઓએ દેશને આઝાદ કર્યો અને તેઓ જાણે છે કે, આ આઝાદી કેવી રીતે જાળવી રાખવી. જેઓ આપણને આઝાદીનો અર્થ સમજાવે છે, હું તેમને કહેવા માંગુ છું, અમને ન કહો. આજે પણ પંજાબના યુવાનો દુશ્મનની ગોળીઓ સામે છાતી ઠોકીને ઉભા છે. કારણ કે, પાકિસ્તાન હોય, ચીન હોય કે આસામ, દુશ્મન તરફથી કોઈ પણ ગોળી આવે તો પંજાબીઓ દેશ વતી સૌથી પહેલા ઉભા હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, ભલે આપણા શહીદોએ આપણને આઝાદી અપાવી, પરંતુ આઝામ ભગતસિંહ જેવા શહીદોને પણ ચિંતા હતી કે, આઝાદી બાદ દેશ કોના હાથમાં જશે. આજે પણ આપણા રાજ્યમાં નિરક્ષરતા, ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ આઝાદી પંજાબીઓને ખૂબ મોંઘી પડી છે. કારણ કે, આઝાદીની આગલી રાત કહત કી રાત હતી, જે દરમિયાન ભાગલા વખતે આપણા વડીલો સહિત 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પંજાબનું વિભાજન થયું અને પંજાબના લોકો પણ વિભાજિત થયા હતા. પંજાબીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આપણા વારસાને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે.
ચિત્ત સામે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે અમે મોટી યોજના સાથે તૈયાર છીએ અને તેના પરિણામો લોકોની સામે આવવા લાગશે. જે લોકો ચિત્ત ખાશે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જે સપ્લાયર છે, તેમની ધરપકડ કરવામાં આવશે.
આગામી 15મી ઓગસ્ટ પહેલા પંજાબમાંથી ચિત્ત સાથે જોડાયેલા કલંક દૂર થઈ જશે. આજે 76 આમ આદમી ક્લિનિક્સ પંજાબના લોકોને સમર્પિત કરવામાં આવ્યા છે.
હવે પંજાબમાં આમ આદમી ક્લિનિક્સની કુલ સંખ્યા 659 થઈ ગઈ છે. ખેડા વતન પંજાબ દિયાન માટેનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. દર વર્ષે 2200 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે. પંજાબ દેશનું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં 90 ટકા લોકો પાસે વીજળીનું બિલ શૂન્ય છે.












Click it and Unblock the Notifications
