Punjab : સોનિયા-રાહુલને કહો કે અમને સીટ ન આપે-ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાને આડે હાથ લીધા છે. લોકસભા સીટ શેરિંગ મુદ્દે ભગવંત માન આકરા પાણીએ જોવા મળ્યા.
વિધાનસભામાં ભગવંત માને કહ્યું કે, બાજવાએ તેમની પાર્ટીના નેતૃત્વને કહેવું જોઈએ કે તેઓ દિલ્હી, હરિયાણા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બેઠકોની ચિંતા ન કરે.

તેમણે કહ્યું કે તમે તમારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કહો કે આ રાજ્યોમાં સીટોની ચિંતા ન કરે. ભગવંત માનને પૂછ્યું કે શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ક્યારેય તમારી સાથે બેઠા છે? તમે તેને ક્યારેય મારી સાથે બેઠેલા જોયા છે? એક તરફ તમે સીટો પર ચેડા કરી રહ્યા છો. તેમને કહો કે અમને ગુજરાત, કુરુક્ષેત્ર, દિલ્હીમાં સીટો ન આપે.
આ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે પંજાબની તમામ 13 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. આ સાથે તે ચંદીગઢમાં એકલા હાથે ચૂંટણી પણ લડશે.
આ નિર્ણયને ઈન્ડિયા બ્લોકમાં આવકારવામાં આવ્યો નથી. AAP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે વિપક્ષી ધારાસભ્યો ગૃહમાં પ્રવેશ્યા અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ પછી 15 મિનિટ માટે ગૃહની કાર્યવાહી અટકાવવામાં આવી, અહીં AAP અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બોલાચાલી જોવા મળી.












Click it and Unblock the Notifications
