BHrata Jodo Yatra: જમ્મુમાં રાહુલ ગાંધીએ ગુલાબ નબી આઝાદીની માંફી માગી હતી. , જાણો કેમ ?
ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર પોહોચી ગઇ છે. જ્યા રાહુલ ગાધીએ ગુલાભ નબી આઝાદની માફી માંગી હતી. તેમજ દિગ્વિજય સિહના સર્જિકલ સ્ટ્રાઇક પરના નિવેદનનો જવાબ આપતા કહ્યુ હતુ કે, કોગ્રેસને ભારતની સૈના પર પુરો ભરોષો છે.
કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. રાહુલ ગાંધી અત્યાર જમ્મુ કામ્શીમર પહોચી છે. ત્યાં તેમણે એક વાર ફરી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરની સ્ટેટહુડ, 370 અને દિગ્વિજય સિહના સર્જિકલ સ્ટ્રાઇકને લઇને મીડિયાને જવાબ આપ્ય ાછે. આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કોગ્રેસના પૂર્વ નેતા ગુબાલ નબી આઝાદની માંફી માગી છે.
પ્રેસ કોન્પરન્સ દરમિયાન પત્રકાર રાહુલ ગાંધીની પુછવામાં આવ્યુ કે, ભારત જોડવાની ાત કરી રહ્યા છો તો જમ્મુના લાલ સિંહ ચૌધરી સહિત ઘણા સ્થાનિક નેતા અને પક્ષોને તમારી યાત્રામાં કેમ સામે નથી કર્યા . ગુલાબ નબી આઝાદની ડેમોક્રેટિક આઝાદ પાર્ટીને યાત્રામાં શામેલ થવા માટે કેમ આમત્રણ નથી આપવામાં આવ્યુ ? આના પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, લાલ સિંહ ચૌધરીએ અમારી યાત્રાને સપોર્ટ કર્યુ છે તેના માટે તેમનો ધન્યવાદ કરી એ છીએ
રાહુલ ગાધીએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુલાબ નબીની પાર્ટી તે અણારા સ્ટેજ પર બેઠી હતી. તેમની પાર્ટી 90 ટકા લોકો હવે કોગ્રેસમા જ છે. બસ હવે તે બાજુ ગુલાબ નબી આઝાદ જ રહી ગયા છે. હુ તેમનો આદર સમ્માન પણ કરી રહ્યો છુ. જો મે તેમનુ કોઇ પણ પ્રકારનું દુખ પહોચાડ્યુ હોય તો તેમની માફી માંગુ છુ. પછી તે ગુલાભ નબી આઝાદ હોય કે, લાલ સિંહ ચૌધરી.
દિગ્વિજય સિંહ સર્જિકલ સ્ટ્રાઇક વાળા નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, જે દિગ્વિજય સિહે કહ્યુ છે કે, તેનાથી સહમત નથી.હુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે, મને આર્મી પર ભરોસો છે. દેશની આર્મી જે પણ ઓપરેશન કરે છે તેનો સબુત આપવાની જરુર નથી. રાહુલ ગાધીએ કહ્યુ કે, કોગ્રેસ પાર્ટી દેશને આઝાદી અપાવી છે. દેશના તમામ સંસ્થાન બનાવી છે. કોગ્રેસની વિચારધારાથી દેશ બન્યો છે. જ્યારે આપણે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે બીજેપી અને આરએસએસ ના લાકો અંગ્રેજો સાથે ઉભા હતા.