Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરો: રાહુલ ગાંધી છે 'રણનીતિ સલાહકાર', અડવાણી છે પત્રકાર

નવી દિલ્હી, 29 જુલાઇ: કોંગ્રેસની કમાન અપ્રત્યક્ષ રીતે રાહુલ ગાંધીના હાથમાં છે. લોકસભા ચૂંટણીમાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી. તે પાર્ટીના ઉપાધ્યક્ષ છે, પરંતુ રાહુલ ગાંધીનો અસલી ધંધો સાંભળીને તમે ચોંકી ઉઠશો. જી હાં અંગ્રેજી સમાચાર પત્ર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર સંસદની વેબસાઇટ પર 539 સાંસદોએ જેમને પોતાના ધંધા જાહેર કર્યા છે, તેમાંથી કેટલાક રસપ્રદ છે, તો કેટલાક ચોંકાવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવ્યા છે તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાને પત્રકાર તરીકે રજૂ કર્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધીની રણનીતિઓ તેમની પાર્ટીનો બેડો પાર કરી રહી નથી, પરંતુ તે પોતાને રણનીતિ સલાહકાર ગણાવવાનું પસંદ કરે છે.

539 સાંસદોએ પોતાના ધંધા જાહેર કર્યા

539 સાંસદોએ પોતાના ધંધા જાહેર કર્યા

અંગ્રેજી સમાચાર પત્ર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર સંસદની વેબસાઇટ પર 539 સાંસદોએ જેમને પોતાના ધંધા જાહેર કર્યા છે, તેમાંથી કેટલાક રસપ્રદ છે, તો કેટલાક ચોંકાવનાર છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યવસાયે પોતે એક સામાજિક કાર્યકર્તા હોવાનું દર્શાવ્યું છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવ્યા છે.

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાને પત્રકાર તરીકે રજૂ કર્યા છે. લોકસભામાં તેમના ઉપરાંત વધુ ત્રણ સાંસદે પોતાને પત્રકાર ગણાવ્યા છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની રણનીતિઓ તેમની પાર્ટીનો બેડો પાર કરી રહી નથી, પરંતુ તે પોતાને રણનીતિ સલાહકાર ગણાવવાનું પસંદ કરે છે. જી હાં લોકસભાની વેબસાઇટ પર આપવામાં આવેલા વિવરણમાં રાહુલ ગાંધીએ પોતાને રાજકીય સલાહકાર ગણાવ્યા છે.

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજ

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાને વકીલ ગણાવ્યા છે.

સુમિત્રા મહાજન

સુમિત્રા મહાજન

સ્પીકર સુમિત્રા મહાજને પોતાને વકીલ ગણાવ્યા છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

ગૃહમંત્રી રાજસિંહ પોતાને શિક્ષક ગણાવ્યા છે.

મુરલી મનોહર જોશી

મુરલી મનોહર જોશી

કાનપુર સાંસદ મુરલી મનોહર જોશીએ પોતાને પ્રોફેસર ગણાવ્યા છે.

જી હાં લોકસભાની વેબસાઇટ પર આપવામાં આવેલા વિવરણમાં રાહુલ ગાંધીએ પોતાને રાજકીય સલાહકાર ગણાવ્યા છે. લોકસભામાં તેમના ઉપરાંત વધુ ત્રણ સાંસદે પોતાને પત્રકાર ગણાવ્યા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને સ્પીકર સુમિત્રા મહાજને પોતાને વકીલ ગણાવ્યા છે. આ વખતે લોકસભામાં ચૂંટાઇને આવેલા સભ્યોના ધંધાની જાણકારી દર્શાવવામાં આવી છે.

ગૃહમંત્રી રાજસિંહ પોતાને શિક્ષક ગણાવ્યા છે, જ્યારે કાનપુર સાંસદ મુરલી મનોહર જોશીએ પોતાને પ્રોફેસર ગણાવ્યા છે. તો બીજી તરફ આ વખતે ચૂંટાઇને આવેલા નવા સાંસદોમાંથી 143 સાંસદોએ પોતાનો ધંધો ખેતી બતાવ્યો છે. ધંધાના મામલે બીજો નંબર સામાજિક કાર્યકર્તાનો છે. લોકસભાના 87 સાંસદો પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X