For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં સરકાર પડી ભાંગતા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ કહી આ મોટી વાત

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પડી ભાંગ્યા બાદ કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર બનવાના પહેલા દિવસથી જ તે સ્વાર્થી લોકોના નિશાના પર હતી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ મંગળવારે સાંજે સમાપ્ત થઈ ગઈ. વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં 14 મહિના જૂની કુમારસ્વમી સરકાર પોતાનો બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પડી ભાંગ્યા બાદ કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર બનવાના પહેલા દિવસથી જ તે સ્વાર્થી લોકોના નિશાના પર હતી. આજે સરકાર પડી ગયા બાદ કર્ણાટકમાં લાલચની જીત થઈ છે.

આ પણ વાંચોઃ કર્ણાટકઃ ભાજપની આજે બેઠક, યેદિયુરપ્પા ચૂંટાશે મુખ્યમંત્રીઆ પણ વાંચોઃ કર્ણાટકઃ ભાજપની આજે બેઠક, યેદિયુરપ્પા ચૂંટાશે મુખ્યમંત્રી

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અમુક સ્વાર્થી લોકોના નિશાના પર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અમુક સ્વાર્થી લોકોના નિશાના પર

મંગળવારે મોડી રાતે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે પોતાના પહેલા દિવસથી જ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અમુક સ્વાર્થી લોકોના નિશાના પર હતી. પાર્ટીની અંદર અને બહાર અમુક લોકોના પોતાના સ્વાર્થના રસ્તે આ ગઠબંધન મોટી આડખીલી હતા. લાલચની જીત થઈ, કર્ણાટકના લોકોની ઈમાનદારી અને લોકતંત્રની હાર થઈ. મંગળવારે કર્ણાટક વિધાનસભામા વિશ્વાસ પ્રસ્તાવ માટે મતદાન થયુ જેમાં કુમારસ્વામી સરકારને 99 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ જ્યારે ભાજપના પક્ષમાં 105 મત પડ્યા. ગઠબંધન સરકાર કુલ 6 મતોથી પાછળ રહી ગઈ. ગઠબંધન સરકારના પડ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યુ કે કર્ણાટકની ગઠબંધન સરકારને કેન્દ્ર સરકાર, કર્ણાટકના રાજ્યપાલ, મહારાષ્ટ્ર સરકાર અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મળીને પાડી છે.

અમારી પાર્ટીમાં ક્યારેય શામેલ કરવામાં આવશે નહિ

વળી, સરકાર પડી ગયા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બોલ્યા કે હું ફરીથી કહેવા ઈચ્છીશ કે જે લોકો ‘ઑપરેશન કમલ'માં શામેલ થયા છે તેમને ફરીથી અમારી પાર્ટીમાં ક્યારેય શામેલ કરવામાં આવશે નહિ. ભલે આકાશ જ કેમ નીચે ના પડી જાય. સંસદમાં મતદાનની પ્રક્રિયાથી અનુપસ્થિત રહીને અમારા 15-16 ધારાસભ્યોએ વિધાનસભાનું ઉલ્લંઘન કર્યુ છે. આ બંધારણની 10મી અનુસૂચિનું ઉલ્લંઘન છે એટલા માટે તેમનુ સભ્યપદ ખતમ થઈ શકે છે.

દરેક જૂઠ છેવટે બેનકાબ થાય છે

દરેક જૂઠ છેવટે બેનકાબ થાય છે

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સંસ્થાઓ અને લોકતંત્રને વ્યવસ્થિત રીતે નબળી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે એક દિવસ ભાજપને એ ખબર પડી શકશે કે બધુ નથી ખરીદી શકાતુ. એક દિવસ આવશે જ્યારે તેને ખબર પડશે કે દરેકની પાછળ ન પડી શકાય અને દરેક જૂઠ છેવટે બેનકાબ થાય છે.

English summary
rahul gandhi and priyanka gandhi reaction after congress-jds karnataka government falls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X