For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ PM પર સાધ્યુ નિશાન- કેમ ઘણા તાનાશાહોના નામ એવા છે જે 'M'થી શરૂ થાય છે?

રાહુલ ગાંધીએ લખ્યુ છે કે છેવટે બધા તાનાશાહોના નામ 'M'થી જ કેમ શરૂ થતા હોય છે?

|
Google Oneindia Gujarati News

Why do so many dictators have names that begin with 'M' asked Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને તેમની સરકાર પર ટ્વિટર દ્વારા નિશાન સાધતા રહે છે. તેમની લેટેસ્ટ ટ્વિટ પર આ તરફ જ ઈશારો કરે છે. જો કે પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ નથી લીધુ પરંતુ તેમનો ઈશારો તેમના તરફ જ છે. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યુ છે કે છેવટે બધા તાનાશાહોના નામ 'M'થી જ કેમ શરૂ થતા હોય છે?

rahul gandhi

આ સાથે જ તેમણે વિશ્વના અમુક મુખ્ય તાનાશાહોના નામ પણ લખ્યા છે, જે નિમ્ન લિખિત છે...

  • માર્કોસ(Marcos)
  • મૂસોલિની(Mussolini)
  • મિલોસેવી(Milošević)
  • મુબારક(Mubarak)
  • મોબુતુ(Mobutu)
  • મુશર્રફ(Musharraf)
  • માઈકોમ્બરો(Micombero)
rahul

રાહુલ ગાંધીનુ આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે, લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ પહેલા બજેટ વિશે લખ્યુ હતુ કે ચીને ભારતની ભૂમિ પર કબ્જો કરી લીધો અને આપણા સૈનિકોને શહીદ કરી દીધા. PM ફોટો-ઑપ માટે તેમની સાથે દિવાળી મનાવે છે. તેમણે જવાનો માટે રક્ષા બજેટ કેમ નથી વધાર્યુ? તમને જણાવી દઈએ કે ટ્વિટ દ્વારા સતત રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવામાં લાગ્યા છે. આ પહેલા તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મોદી સરકારની ઉદાસીનતા અને અહંકારે 60થી વધુ ખેડૂતોના જીવ લઈ લીધા. ખેડૂતોના આંસુ લૂછવાના બદલે સરકાર તેમના અશ્રુ ગેસના ગોળા છોડી રહી છે. આ રીતની ક્રૂરતા સાંઠગાંઠવાળા અમીરોના હિતોને વધારવા માટે છે.

દેશ એક વાર ફરીથી ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા મજબૂર

એટલુ જ નહિ તેમણે આગળ લખ્યુ હતુ કે દેશ એક વાર ફરીથી ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા જઈ રહ્યો છે. ત્યારે અંગ્રેજ કંપની બહાદૂર હતા હવે મોદી-મિત્ર કંપની બહાદૂર છે. પરંતુ આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાના અધિકાર લઈને જ રહેશે. તમને જણાવી દઈએ કે હરિયાણાના જિંદ જિલ્લામાં કંડેલા ગામ સ્થિત રમતગમત સ્ટેડિયમમાં આજે ખેડૂતોની રાજ્ય સ્તરીય મહાપંચાયત થશે જેમાં ભારતીય ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈત પણ શામેલ થશે. આ પહેલા ખેડ઼ૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામનુ એલાન કર્યુ છે.

શું ખરેખર સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલે કરી લીધા છે લગ્ન?શું ખરેખર સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલે કરી લીધા છે લગ્ન?

English summary
Rahul Gandhi asked on twitter, Why do so many dictators have names that begin with 'M'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X