અહેમદ પટેલના નિધન પર રાહુલ-પ્રિયંકાએ વ્યક્ત કર્યો ઉંડો શોક, કહ્યુ - 'કોંગ્રેસ પાર્ટીના હતા સ્તંભ'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર ઉંડુ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારની ખૂબ જ નજીક ગણાતા નેતા અહેમદ પટેલનુ આજે સવારે નિધન થઈ ગયુ છે. 71 વર્ષના અહેમદ પટેલ કોરોનાથી સંક્રમિત હતા અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમના દીકરા ફેઝલે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. અહેમદ પટેલના નિધનથી આખી કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર ઉંડુ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.

'કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા અહેમદ પટેલ, આજે ખૂબ જ દુઃખદ દિવસ'
તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'આ એક દુઃખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના એક સ્તંભ હતા, તે પોતાના સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટી સાથે ઉભા રહ્યા, તે એક જબરદસ્ત સંપત્તિ હતા, અમે તેમને હંમેશા યાદ કરીશુ, ફેઝલ, મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.

'તેમનુ નિધન એક વિશાળ શૂન્ય છોડી જાય છે
વળી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, 'અહેમદજી માત્ર એક બુદ્ધિમાન અને અનુભવી સહકર્મી હતા એટલુ જ નહિ પરંતુ મે સતત તેમની સલાહ લીધી, તે એક દોસ્ત હતા જે અમારી બધાની સાથે ઉભા રહ્યા, દ્રઢ, નિષ્ઠાવાન અને અંત સુધી ભરોસાપાત્ર રહ્યા. તેમનુ નિધન એક વિશાળ શૂન્ય છોડી જાય છે. તેમના આત્માને શાંતિ મળે.'

'એક અભિન્ન મિત્ર વિશ્વસનીય સાથી જતો રહ્યો'
વળી, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે અહેમદ પટેલના નિધન પર કહ્યુ કે આજે મે મારો મિત્ર ગુમાવી દીધો. તેમણે પણ ટ્વિટ કર્યુ છે કે, 'અહેમદ પટેલ નથી રહ્યા, એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી જતો રહ્યો, અમે બંને સન 1977થી સાથે રહ્યા, તે લોકસભામાં પહોંચ્યા, હું વિધાનસભામાં, અમે બધા કોંગ્રેસીઓ માટે તે દરેક રાજકીય રોગની દવા હતા. મૃદુભાષી, વ્યવહાર કુશળ અને સદૈવ હસતા રહેવુ તેમની ઓળખ હતી. તેમણે આગળ લખ્યુ કે અહેમદભાઈ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને ક્યાંય પણ રહે, નમાઝ પઢવાનુ ક્યારેય ચૂકતા નહોતા. આજે દેવ ઉઠી એકાદશી પણ છે જેનુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. અલ્લાહ તેમને જન્નતઉલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાવે. આમીન.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
