રાજીવ ગાંધી હત્યાકાંડ: મહત્વના પુરાવા દબાવી દેવાયા હતા

રાગોથામને એક પુસ્તક લખ્યું છે. પોતાના પુસ્તકમાં તે લખે છે કે આ ગુમ થયેલા વિડીયો અંગે તપાસ થઇ હતી પરંતુ સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન ટીમના પ્રમુખ ડી.આર. કાર્તિકેયને એમ.કે નારાયણને છોડી દિધા. નારાયણ તે સમયે પશ્વિમ બંગાળના રાજ્યપાલ હતા.
તાજેતરમાં છપાયેલ પુસ્તકનું નામ છે 'કંસ્પિરેસી ટુ કિલ રાજીવ ગાંધી- ફ્રોમ સીબીઆઇ ફાઇલ્સ'. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે તે વિડીયો ટેમને આઇબીએ જ હત્યાના એક દિવસ પહેલાં એક કેમેરામેન પાસેથી મેળવી હતી. પરંતુ રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરી રહેલી ટીમને ક્યારેય આ ટેપ આપવામાં આવી નથી. 21 મે 1991માં તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
રાગોથામને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ' હત્યારાઓની ટુકડી લગભગ અઢી કલાક સુધી સુરક્ષિત વિસ્તારોમાં ફરતી રહી. તે લોકો તેમના ટાર્ગેટના આવવાની રાહ જોઇ રહ્યાં હતા'. પછી તમિલનાડુ પોલીસે દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીની હત્યા બાદ ધનુ સુરક્ષિત વિસ્તારમાં ઘુસી ગઇ હતી. જો વિડીયો આપવામાં આવ્યો હોત તો પોલીસનો આ દાવો ખોટો પુરવાર સાબિત થાત.
જે ટેપ તમિલનાડુ પોલીસે મેળવી છે તેનો અંદાજ દૂરદર્શનના સમાચારોમાં બતાવતાં વિડીયો જેવો હતો. રાગોથામન કહે છે કે આઇબીના અધિકારીઓને મળેલી ટેપ અસલી હતી અને પોલીસને અલગ ટેપ આપવામાં આવી હતી.
રાગોથામનનો દાવો છે કે આ પુરાવાઓને દબાવવાનો હેતુ કોંગ્રેસને કોઇપણ રીતે શર્મિદગીથી બચાવવાનો હતો, કારણ કે 1991ની લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. રાગોથામન પોતાના પુસ્તકમાં પૂછે છે કે 'નારાયણ રાજીવ ગાંધી પરિવારના ગમે તેટલા ખાસ રહ્યાં હોય, શું તે કોંગ્રેસ પાર્ટીના લક્ષ્યને નુકસાન પહોંચાડવાની હિંમત કરી શકતા હતા ?
રાગોથામન કહે છે કે નારાયણ પર પુરાવા સંતાડવાના આરોપમાં આઇપીસી કલમ 201 હેઠળ કેસ બને છે, પરંતુ શરૂઆતી તપાસ કરવા છતાં આ કેસને દબાવવામાં આવ્યો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
