For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ માટે રાજનાથે વાપર્યા આદરસૂચક શબ્દ

By Super
|
Google Oneindia Gujarati News

rajnathsingh
નવી દિલ્હી, 11 ઑગસ્ટઃ અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેન આગળ 'જી' લગાવનારા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહની ટીકા કરનારા ભાજપ હવે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહના નિવેદનને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજનાથે હવે 1993માં મુંબઇ વિસ્ફોટના આરોપી દાઉદ ઇબ્રાહિમ માટે આદરસૂચ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

એક અંગ્રેજી ચેનલ સાથે વાતચીત દરમિયાન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, તે પાકિસ્તાનમાં રહી રહ્યાં હતા. રાજનાથ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરિફના વિશેષ દૂત શહરયાર ખાનના એ નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતા, જેમાં દાઉદ પાકિસ્તાનમાં હતો તે વાતનો સ્વિસાર કરવામાં આવ્યો હતો. ભાજપ અધ્યક્ષનું કહેવું હતું કે આ મામલે પાકિસ્તાન ગમે તે કહે, પરંતુ 26/11 મામલે તેમણે કાર્યવાહી કરવી જોઇએ. આ દરમિયાન શહરયારના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દાઉદ પાકિસ્તાનમાં રહી રહ્યાં હતા.

નોંધનીય છે કે, ભાજપ સુશિલ કુમાર શિંદે અને દિગ્વિજય સિંહ જેવા નેતાઓની એ બાબતે ટીકા કરતું રહ્યું છે કે, તેઓ હાફિઝ સઇદ, લાદેન જેવા આતંકવાદીઓના નામની આગળ આદરસૂચક શબ્દનો ઉપયોગ કરે છે. હવે પાર્ટી પોતાના અધ્યક્ષના નિવેદનનો કેવી રીતે બચાવ કરશે, તે ચર્ચાનો વિષય બની રહેશે.

English summary
Dawood Ibrahim has been residing in Pakistan for long and it’s good that they finally accepted this fact. But I think Pakistan should take strict actions against all those responsible for the terror attacks in India, in particular the 26/11 (Mumbai) terror attacks, says, Rajnath Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X