For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો મોદીનું રાજતિલક કર્યા બાદ રાજનાથને શું કહ્યું...

|
Google Oneindia Gujarati News

rajnath singh
પણજી, 9 જૂન : ગોવામાં ચાલી રહેલા બીજેપીની બેઠકમાં આખરે નરેન્દ્ર મોદીને ચૂંટણીની કમાન સોંપી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઘણા સમયથી બીજેપીમાં રહસ્ય બનેલું હતું કે ચૂંટણી સમિતિની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે અને આજે આની પર વિરામ લગાવતા બીજેપીએ મોદીની તાજપોશી કરી દીધી છે.

બીજેપીના આ નિર્ણયનો બેઠકમાં હાજર દરેક સદસ્યએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયનું સ્વાગત કર્યું કારણ કે મોટાભાગના બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જૂએ છે. મોદીના રાજતિલક બાદ રાજનાથ સિંહે પત્રકારોને સંબોધીત કરતા જણાવ્યું કે...

- નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન રહેશે.
- આ નિર્ણય દરેકની સહમતિથી લેવામાં આવ્યો છે.
- ભારતીય જનતા પાર્ટીને મોદી પાસે ઘણી આશાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીએ રાજનાથસિંહ દ્વારા લેવાયેલા મોદી અંગેના નિર્ણયનું સ્વાગત કરી તેમના નિર્ણય કરવાની શક્તિના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની આજે નિર્ણય કરવાની શક્તિને જોઇને મને આનંદ થયો છે. તેમણે મોદીના પણ વખાણ કર્યા અને તેમને મળેલી જવાબદારી માટે અભિનંદન આપ્યા.

English summary
rajnath singh said bjp have lots of expectation from Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X