For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન

અયોધ્યામાં કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનુ ભૂમિ પૂજન થવાનુ છે. ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનુ ભૂમિ પૂજન થવાનુ છે. ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે હું રામ મંદિરના આયોજનથી 24 કલાક પહેલા કોઈ પણ રાજકીય ટિપ્પણી નહિ કરુ પરંતુ હું કહેવા ઈચ્છીશ કે રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિ, એ જ રામની મર્યાદા છે. આ સાથે જ રણદીપ સુરજેવાલાએ પ્રિયંકા ગાંધીના એ વક્તવ્યને વાંચ્યુ.

સાંસ્કૃતિક સમાગમનુ પ્રતીક

સાંસ્કૃતિક સમાગમનુ પ્રતીક

સુરજેવાલાએ કહ્યુ કે રામનુ ચરિત્ર સર્વાગુણ છે. રામ બધા છે. ગાંધીના રઘુપતિ રાજા રામ સૌને સંમતિ આપવાના છે. રામ શક્તિની મૌલિક કલ્પના છે. રામ સંકલ્પ છે. સહયોગી છે. સૌના છે. આગામી 5 ઓગસ્ટે રાખવામાં આવેલ શિલાન્યાસ સાંસ્કૃતિક સમાગમનુ પ્રતીક બનશે. રાજસ્થાનમાં અશોક ગહેલોતના નેતૃત્વથી નારાજ થઈને બાગી થયેલા સચિન પાયલટ સહિત 19 કોંગ્રેસ ધારાસભ્યોની વાપસીની સંભાવનાના સવાલ પર સુરજેવાલાએ કહ્યુ, સૌથી પહેલા વિદ્રાહી ધારાસભ્ય વાતચીત કરે અને તેેેને કરવા માટે પહેલી શરત એ છે કે ભાજપની મેજબાની છોડી દે.

ભાજપ જે સુરક્ષા આપી રહી છે તેનો શું અર્થ છે.

ભાજપ જે સુરક્ષા આપી રહી છે તેનો શું અર્થ છે.

સુરજેવાલાએ કહ્યુ કે તે મનોહર લાલ ખટ્ટરની આગેવાનીવાળી હરિયાણાની ભાજપ સરકારનુ સુરક્ષા ચક્ર છોડે. સુરજેવાલાએ કહ્યુ, હરિયાણામાં રોજ બાળકોની હત્યાઓ થઈ રહી છે. સામૂહિક દુષ્કર્મ થઈ રહ્યા છે, ગુડગાંવમાં લોકોને ધોળે દિવસે મારપીટ કરવામાં આવી રહી છે અને આના માટે પોલિસ ઉપલબ્ધ નથી પરંતુ આ 19 ધારાસભ્યોની સુરક્ષા માટે એક હજાર આસપાસ પોલિસ કર્મી લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને ભાજપ જે સુરક્ષા આપી રહી છે તેનો શું અર્થ છે.

નીતિશ કુમારજીએ બંધારણ ફરીથી વાંચવુ જોઈએ

નીતિશ કુમારજીએ બંધારણ ફરીથી વાંચવુ જોઈએ

વળી, સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરી રહેલી બિહાર પોલિસ અને મુંબઈ પોલિસના ટકરાવ પર કોંગ્રેસ પ્રવકતાએ કહ્યુ કે નીતિશ કુમારજીએ બંધારણ ફરીથી વાંચવુ જોઈએ. નીતિશ કુમાર કે બિહારની સરકાર બળજબરીથી પોલિસ મોકલીને મહારાષ્ટ્રના અધિકાર ક્ષેત્રમાં દખલઅંદાજી ન કરી શકે. જો એક રાજ્યની પોલિસ બીજા રાજ્યમાં જઈને તપાસ કરે તો અરાજકતા ફેલાઈ જશે.

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે રામલલાને પહેરાવાશે લીલા રંગનો પોષાક, જાણો કેમઅયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે રામલલાને પહેરાવાશે લીલા રંગનો પોષાક, જાણો કેમ

English summary
Rajniti ka dharm hona chahiye, dharm ki rajniti nahi says Congress Randeep Singh Surjewala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X