રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન
અયોધ્યામાં કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનુ ભૂમિ પૂજન થવાનુ છે. ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.
અયોધ્યામાં કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનુ ભૂમિ પૂજન થવાનુ છે. ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે હું રામ મંદિરના આયોજનથી 24 કલાક પહેલા કોઈ પણ રાજકીય ટિપ્પણી નહિ કરુ પરંતુ હું કહેવા ઈચ્છીશ કે રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિ, એ જ રામની મર્યાદા છે. આ સાથે જ રણદીપ સુરજેવાલાએ પ્રિયંકા ગાંધીના એ વક્તવ્યને વાંચ્યુ.

સાંસ્કૃતિક સમાગમનુ પ્રતીક
સુરજેવાલાએ કહ્યુ કે રામનુ ચરિત્ર સર્વાગુણ છે. રામ બધા છે. ગાંધીના રઘુપતિ રાજા રામ સૌને સંમતિ આપવાના છે. રામ શક્તિની મૌલિક કલ્પના છે. રામ સંકલ્પ છે. સહયોગી છે. સૌના છે. આગામી 5 ઓગસ્ટે રાખવામાં આવેલ શિલાન્યાસ સાંસ્કૃતિક સમાગમનુ પ્રતીક બનશે. રાજસ્થાનમાં અશોક ગહેલોતના નેતૃત્વથી નારાજ થઈને બાગી થયેલા સચિન પાયલટ સહિત 19 કોંગ્રેસ ધારાસભ્યોની વાપસીની સંભાવનાના સવાલ પર સુરજેવાલાએ કહ્યુ, સૌથી પહેલા વિદ્રાહી ધારાસભ્ય વાતચીત કરે અને તેેેને કરવા માટે પહેલી શરત એ છે કે ભાજપની મેજબાની છોડી દે.

ભાજપ જે સુરક્ષા આપી રહી છે તેનો શું અર્થ છે.
સુરજેવાલાએ કહ્યુ કે તે મનોહર લાલ ખટ્ટરની આગેવાનીવાળી હરિયાણાની ભાજપ સરકારનુ સુરક્ષા ચક્ર છોડે. સુરજેવાલાએ કહ્યુ, હરિયાણામાં રોજ બાળકોની હત્યાઓ થઈ રહી છે. સામૂહિક દુષ્કર્મ થઈ રહ્યા છે, ગુડગાંવમાં લોકોને ધોળે દિવસે મારપીટ કરવામાં આવી રહી છે અને આના માટે પોલિસ ઉપલબ્ધ નથી પરંતુ આ 19 ધારાસભ્યોની સુરક્ષા માટે એક હજાર આસપાસ પોલિસ કર્મી લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને ભાજપ જે સુરક્ષા આપી રહી છે તેનો શું અર્થ છે.

નીતિશ કુમારજીએ બંધારણ ફરીથી વાંચવુ જોઈએ
વળી, સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરી રહેલી બિહાર પોલિસ અને મુંબઈ પોલિસના ટકરાવ પર કોંગ્રેસ પ્રવકતાએ કહ્યુ કે નીતિશ કુમારજીએ બંધારણ ફરીથી વાંચવુ જોઈએ. નીતિશ કુમાર કે બિહારની સરકાર બળજબરીથી પોલિસ મોકલીને મહારાષ્ટ્રના અધિકાર ક્ષેત્રમાં દખલઅંદાજી ન કરી શકે. જો એક રાજ્યની પોલિસ બીજા રાજ્યમાં જઈને તપાસ કરે તો અરાજકતા ફેલાઈ જશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?









Click it and Unblock the Notifications
