રાજ્યસભા સાંસદ અમરસિંહનુ નિધન, સિંગાપુરમાં ચાલી રહ્યો હતો ઈલાજ
ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનુ આજે સિંગાપુરમાં ઈલાજ દરમિયાન નિધન થઈ ગયુ છે.
ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનુ આજે સિંગાપુરમાં ઈલાજ દરમિયાન નિધન થઈ ગયુ છે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા અને ઘણા મહિનાઓથી સિંગાપુરમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મુંબઈ મિરરમાં પ્રકાશિત લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે તે આઈસીયુમાં હતા અને તેમનો પરિવાર તેમની સાથે સિંગાપુરમાં જ હતો.

રાજ્યસભા સાંસદ અમરસિંહ 64 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે.તે છેલ્લા 6 મહિનાથી બિમાર હતા અને સિંગાપુરમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમરસિંહનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. છેલ્લા લગભગ છ મહિનાથી તેમનો સિંગાપુરમાં ઈલાજ ચાલી રહ્યો હતો. તેમનો પરિવાર પણ તેમની સાથે સિંગાપુરમાં જ હતો. અમર સિંહની વર્ષ 2013માં કિડની ખરાબ થઈ ગઈ હતી.
થોડા દિવસો પહેલા પણ તેમના નિધનની અફવાઓ ઉડી હતી પરંતુ અમરસિંહે વીડિયો જારી કરીને કહ્યુ હતુ કે ટાઈગર અભી ઝિંદા હે. ઉત્તર પ્રદેશના કદાવર નેતાઓમાં ગણાતા અમર સિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહ્યા. મુલાયમ સિંહ યાદવાની નજીક ગણાતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે અણબનાવના કારણે તે સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં શામેલ થઈ ગયા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
