For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથ નજીક આવેલું રામબાડા નકશામાંથી ગાયબ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હરિદ્વાર, 27 જૂન: ઉત્તરાખંડના કેદારનાથમાં કુદરતી વિનાશલીલાની એવી પટકથા લખી છે કે તેનો ખૌફ હજુ સુધી લોકોના ચહેરા પર સ્પષ્ટપણે નજરે પડે છે. કેદારનાથ નજીક આવેલા રામબાડા પ્રવાસીમાં ખૂબ ચર્ચિત છે. પ્રવાસીઓ અહીં રોકાવવા ઉપરાંત ટ્રેકિંગ કરવાનું પણ પસંદ કરે છે.

આ સ્થળ જલપ્રલયમાં સંપૂર્ણ રીતે બરબાદ થયું હોવાની ચર્ચા છે. આ સ્થળ સુંદરતા ઉપરાંત કેદારનાથ અને ગૌરીકુંડમાં ટ્રેકિંગને લઇને પણ ચર્ચામાં રહે છે. 16 અને 17 જૂનના રોજ જલપ્રલય દરમિયાન રામબાડામાં કંઇક નિશાન બચ્યાં નથી. બધુ જ બરબાદ થઇ ગયું છે. નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર કેદારનાથમાં તો કંઇ જોવા મળે છે પરંતુ રામબાડામાં કંઇપણ જોવા મળતું નથી. નકશામાંથી તેનું નામોનિશાન ભૂંસાઇ ગયું છે.

uttarakhand

અહીં લગભગ 150 દુકાનો હતી અને પાંચ હોટલો હતી જ્યાં પ્રવાસીઓ રોકાતા હતા. હવે અહીં કંઇપણ જોવા મળતું નથી, બધુ જ પાણીમાં વહી ગયું છે. જ્યારે આ વિસ્તારમાં પાણી પ્રવાહ આવ્યો તો ધરતીથી તેની ઉંચાઇ 10 ફૂટની હતી જેમાં બધુ જ વહી ગયું. અહી કાટમાળ જોવા મળે છે. આ કાટમાળમાં કેટલીય લાશો સહિત કેટલીક વસ્તુઓ મળશે. અહીં સન્નાટો પ્રસરેલો છે જેમાં બરબાદીનું દ્રશ્ય સ્પષ્ટ જોવા મળે છે.

English summary
The flash floods that caused death and destruction at Kedarnath on June 16-17 spared none in Rambara. Nothing is left there, just nothing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X