બાબા મોં બંઘ રાખી તેમની દુકાન સંભાળે : શંકરાચાર્ય
હરિદ્વાર, 28 એપ્રિલ : બાબા રામદેવે દલિતોને લઇને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કરેલી ટિપ્પણી પર પોતાનો મત વ્યક્ત કરતા પુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્યએ જણાવ્યું કે 'બાબા રામદેવ ઘાઘરી પહેરીને પહેલા જ સંતોને બહુ જ બદનામ કરી ચૂક્યા છે. હવે તેઓ મોઢું બંધ રાખી પોતાનું કામ કરે તો સારું.'
શંકરાચાર્યએ આ વાત દિલ્હી રામલીલા મેદાનની ઘટનાના સંદર્ભમાં કહી હતી, જ્યારે બાબા રામદેવે પોલીસ કાર્યવાહીથી બચવા માટે મહિલાઓના કપડાં પહેરી લીધા હતા. રાહુલ ગાંધી પર બાબા રામદેવના નિવેદનને અમર્યાદિત અને સંત આચરણની વિરુદ્ધ ગણાવતા શંકરાચાર્ય અધોક્ષાનંદે જણાવ્યું કે સંતમુખ પ્રવચન માટે હોય છે. અશ્લીલ દુર્વચન માટે નહીં.

તેમણે રામદેવ દ્વારા રાહુલ ગાંધી અંગે કરેલી ટિપ્પણીઓની ટીકા કરતા જણાવ્યું કે કોઇ સારી વ્યક્તિ તે બલિદાની નવ યુવાન માટે આવી વાત કરી શકે નહીં. જેણે આ દેશને માટે પોતાના પિતાનો ઓછાયો અને દાદીનું વાત્સલ્ય અને સંરક્ષણ ગુમાવ્યું છે.
શંકરાચાર્યએ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિશે જણાવ્યું કે મોદી આ દેશની કમાન સંભાળવા અને દેશ ચલાવવાનો વાયદો કરતા ફરી રહ્યા છે. પરંતુ જે વ્યક્તિ પોતાની પત્નીને સાત વચનો આપીને તેને નિભાવી ના શક્યા, તે દેશની જનતાને આપેલા વચનો કેવી રીતે નિભાવશે તેના પર શંકા જાય છે. નરેન્દ્ર મોદી જનતાને ભ્રમિત કરીને સત્તા સુખ ભોગવવાના અભિલાષી છે.
તેમણે જણાવ્યું કે ભાજપના લોકો જનતામાં ભ્રમ ફેલાવે છે અને તેમાં બાબા રામદેવનો પણ સમાવેશ થાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
