'બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી ઇન્ડિયામાં વધારે'

MOHAN BHAGWAT
સિલચર, 4 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી અને ઇન્ડિયામાં વધારે થાય છે. ભાગવતે બળાત્કાર માટે પશ્ચિમી સંસ્કૃતિને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે બળાત્કાર શહેરોમાં વધારે થઇ રહ્યાં છે કારણ કે ત્યાં લોકો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે.

મોહન ભાગવતના મતે, રેપ જેવી ઘટનાઓ 'ભારત'માં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ 'ઇન્ડિયા'માં વારંવાર થાય છે. તમે ગામડાં અને જંગલોમાં જાઓ ત્યાં સામુહિક બળાત્કાર કે પછી યૌન શોષણ નથી થતાં. આ સાથે જ ભાગવતે કહ્યું કે નવા કાયદા ઉપરાંત લોકોએ ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ તરફ જોવાની દૃષ્ટી બદલવા તરફ ધ્યાન આપવું જોઇએ. મોહન ભાગવતે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી છે.

મોહન ભાગવતની વિવાદિત ટિપ્પણી બાદ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસે ભાગવતના નિવેદન અંગે આપત્તિ વ્યક્ત કરી કહ્યું છે કે તેમની પાસે યોગ્ય માહિતી નથી. કોંગ્રેસના નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે આ નિવદેન યોગ્ય નથી. લાગે છે કે મોહન ભાગવત પાસે યોગ્ય જાણકારી નથી. ગામડાંઓમાં બળાત્કારના મામલા વધારે થાય છે, પરંતુ ત્યાં મીડિયાની હાજરી નથી તેથી ઘટનાઓ બહાર આવતી નથી.

આરએસએસ પોતાના નિવેદન પર કાયમ છે. આરએસએસના પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ કહ્યું કે, સંઘના મનમાં ભારત અને ઇન્ડિયાની બે સંકલ્પના છે. સંઘના મતે ઇન્ડિયાનો અર્થ પશ્ચિમી સંસ્કૃતિ અને શહેરીકરણનો વઘારો, જ્યારે ભારતનો સંબંધ ભારતીય મૂલ્યો સાથે છે. જે લોકો શહેરીકરણ અને ઉપભોક્તાવાદની તરફ વધી રહ્યાં છે તે જ આવી હરકતો કરે છે, જ્યારે જેમનેા મૂલ્યો આજે પણ ભારતીય છે તે તેમાં સામેલ નથી થતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X