નોટબંધી પછી RBI લગાવ્યો વધુ એક પ્રતિબંધ, વધુ વાંચો અહીં
આરબીઆઇના નવા નોટફિકેશન મુજબ જે ખાતામાં પહેલાથી જ 5 લાખ રૂપિયા બેલેન્સ છે અને તેમાં તમે 9 નવેમ્બર પછી 2 લાખથી વધારે રૂપિયા જમા કરાવ્યા છે. તો તે પૈસા તમે સરળતાથી નહીં નીકાળી શકો. વધુ વાંચો અહીં...
નોટબંધીનો નિર્ણય લાગુ થયા પછી ભારતીય રિઝર્વ બેંકે પૈસા જમા કરવા અને નીકાળવાને લઇને કેટલાક કેટલાક ખાતાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. નોટબંધી પછી આરબીઆઇ તરફથી કાળા નાણાં પર પોતાની પકડ મજબૂત કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. 9 નવેમ્બર પછી જે ખાતામાં પૈસાનું લેન દેન વધ્યું છે તે તમામ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

આપવું પડશે પેનકાર્ડ
આરબીઆઇના નવા નોટિફિકેશન પછી જે ખાતામાં પહેલાથી 5 લાખ રૂપિયા બેલેન્સ હતું અને તેમાં 9 નવેમ્બર પછી 2 લાખ રૂપિયાથી વધુ બેલેન્સ જમા કરવામાં આવ્યું છે. તે ખાતામાંથી પૈસા નીકાળવા સરળ નહીં રહે. પૈસા નીકાળવા માટે તમારી પેન કાર્ડ કે પછી ફોર્મ 60 આપવું જરૂરી બનશે.
કેવાયસી ના કારણે બનાવ્યો નિયમ
રિઝર્વ બેંક તે પણ કહ્યું કે 10000 રૂપિયા નીકાળવાની લિમીટ નાના ખાતા પર જ રાખવામાં આવશે. આ નોટિફિકેશન આરબીઆઇએ ત્યારે જાહેર કર્યું જ્યારે કેટલીક ફરિયાદો મળી કે કેટલાક કિસ્સામાં કેવાયસીના નિયમોનું યોગ્ય રીતે પાલન નથી થઇ રહ્યું.
જન ધન એકાઉન્ટ
નાના એકાઉન્ટમાં દર મહિને પૈસા નીકાળવાની સીમા 10000 રૂપિયા છે. તેમાં એક લાખ રૂપિયાથી વધુ જમા થાય છે તો તેમાં પણ પ્રતિબંધ લાગે છે. આરબીઆઇ મુજબ, જન ધન એકાઉન્ટને નાના એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંકે તમામ બેંકોને આ આદેશ આપ્યો છે કે નિયમોનું કડકાઇથી પાલન થાય. નોટબંધી પછી તેવી ફરિયાદો આવી હતી કે જન ધન એકાઉન્ટનો ઉપયોગ કાળા નાણાંને સફેદ કરવા માટે થઇ રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
