નક્સલી હુમલા અંગે PM મોદી, જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય
નક્સલીઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે સુકમાના ચિંતાગુફા વિસ્તારમાં થયેલી અથડામણમાં 25 જવાન શહીદ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને પેલિકૉપ્ટરથી રાયપુર મોકલવામાં આવ્યા છે.
છત્તીસગઢ ના સુકમા માં નકસલી હુમલામાં સીઆરપીએફ ના 25 જવાનો શહીદ થતાં તમામ મોટા નેતાઓએ આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી છે. નક્લસવાદીઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે સુકમાના ચિંતાગુફા વિસ્તારમાં અથડામણ થઇ હતી, જેમાં 25 જવાન શહીદ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને હેલિકૉપ્ટરથી રાયપુર મોકલવામાં આવ્યા છે, ત્રણ ઇજાગ્રસ્ત જવાનોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાઇ રહ્યું છે. આ હુમલા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંગે તાત્કાલિક બેઠક બોલાવી છે.

આ મામલે છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ આ મામલા પર નજર રાખી રહ્યાં છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આગળની રણનીતિ પર વાત કરવામાં આવશે. તેમણે શહીદ થયેલ સૈનિકોના પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે, સીઆિપીએફના જવાનો પર થયેલ હુમલા અંગે તેઓ અત્યંત દુઃખી છે. તેમણે શહીદ થયેલ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથ સિંહે ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરને પણ છત્તીસગઢ જવા જણાવ્યું છે.
Extremely pained to know about the killing of CRPF personnel in Sukma. My tributes to the martyrs and condolences to their families. 1/2
— Rajnath Singh (@rajnathsingh) April 24, 2017
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરતાં શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી છે.
સુકમામાં ઘટેલ આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જવાનોનું મૃત્યુ વ્યર્થ નહીં જાય.
Attack on @crpfindia personnel in Chhattisgarh is cowardly & deplorable. We are monitoring the situation closely.
— Narendra Modi (@narendramodi) April 24, 2017
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ રીતની હિંસા સહન કરવામાં નહીં આવે. આ દુઃખના સમયે હું શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.
કેન્દ્રિય મંત્રી એમ.વૈંકેયા નાયડૂએ પણ સુકમા હુમલા અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, માઓવાદીઓનો આ એક કાયર હુમલો છે.
Maoists indulging in mindless killing. My deep condolences to the bereaved families. RIP...
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 24, 2017
કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ પણ આ હુમલા પર શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ સૈનિકોના જુસ્સાને સલામ કરે છે અને પોતાનો જીવ ન્યોછાવર કરનાર સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
My sincere condolences to the families of CRPF personnel martyred in the attack in #Sukma.We salute the sacrifice&courage of our bravehearts https://t.co/fTx6JOc9hz
— Office of RG (@OfficeOfRG) April 24, 2017
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
