સોનિયા ગાંધીના અધ્યક્ષ પદ છોડવાના સમાચારને કોંગ્રેસે ફગાવ્યા
સમાચાર આવ્યા કે સોનિયા ગાંધીએ ખુદ અધ્યક્ષ પદ છોડવાની વાત કહી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસમાં સંગઠનના સ્તરે ફેરફાર વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસે ઘણા મોટા દિગ્ગજ નેતાએ કોંગ્રેના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને ફેરફારની માંગ કરી છે. આ સિવાય લાંબા સમયથી કોંગ્રેસમાં પૂર્ણકાલીન અધ્યક્ષ પદની માંગ ચાલી રહી છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે સોનિયા ગાંધીએ ખુદ અધ્યક્ષ પદ છોડવાની વાત કહી છે.
ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીએ ખુદ પત્ર લખીને કહ્યુ છે કે પાર્ટીએ હવે એક નવા અધ્યક્ષ પસંદ કરવા જોઈએ. પરંતુ કોંગ્રેસ તરફથી આવી કોઈ પણ વાતને ફગાવી દેવામાં આવી છે. પાર્ટી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પદ નથી છોડી રહ્યા. બિન ગાંધી પરિવારમાંથી કોંગ્રેસ અધ્યક્ષ બનેલા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ પાર્ટી પ્રવકતા સંજય ઝાએ માંગ કરી છે કે બિન ગાંધી પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ બને. તેમનુ કહેવુ હતુ કે આ એક બિન ગાંધી કોંગ્રેસ અધ્યક્ષની સંભાવનાની શોધનો સમય છે.
સંજય ઝાએ એ પણ દાવો કર્યો છે કે એક પત્ર 10 જનપથમાં મોકલવામાં આવ્યો છે જેમાં પાર્ટી સંગઠનમાં સંપૂર્ણપણે ફેરફારની માંગ કરવામાં આવી છે. આ પત્ર પર 300 નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે. સંજય ઝાના જણાવ્યા મુજબ મોદી સરકારને પડકારવામાં પાર્ટીની નિષ્ફળતાથી ચિંતિત આ નેતાઓએ પાર્ટીમાં ફેરફાર માટે સામૂહિક પ્રયાસ કરવાના શરૂ કરી દીધા છે.
નીટ-જેઈઈ અંગે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો - છાત્રોના મનની વાત સાંભળે પીએમ