તેલંગાના બાદ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, 40 લોકોને કરાયા રેસ્ક્યુ, રેડ એલર્ટ જારી
મહારાષ્ટ્રના પૂણેમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ.
નવી દિલ્લીઃ ચોમાસુ જતા જતા પણ કહેર વર્તાવી રહ્યુ છે. મંગળવારે તેલંગાના અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થયો. જેના કારણે ડઝનેક લોકોના જીવ ગયા. સાથે જ કરોડોનુ નુકશાન થયુ. વળી, બુધવારે મહારાષ્ટ્રના પૂણેમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર છે. પ્રશાસને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. સાથે જ મોટાપાયે રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે.

40 લોકો પૂરમાં ફસાયા
એસડીઓ બારામતી(પૂણે)ના જણાવ્યા મુજબ 40 લોકો પૂરમાં ફસાયા હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે પૂર પ્રભાવિત નિમગાંવ કેતકીમાં 15 લોકો ફસાયા હોવાના સમાચાર મળ્યા હતા જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. વળી, ઈદાપુર પાસે બે લોકો પોતાના વાહન સાથે વહી ગયા હતા, તેમને પણ બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ બારામતીના રહેણાંક વિસ્તારોમાં બનેલા મકાનોમાં પણ પાણી આવી ગયુ છે.
|
રેડ એલર્ટ જારી
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ પૂણેના ઈંદાપુરમાં પાણીના ઝડપી વહેણમાં એક વ્યક્તિ તણાઈ ગયો. આ દરમિયાન ઝડપથી એસીબી બોલાવવામાં આવી ત્યારબાદ તેનો જીવ બચાવી લેવાયો. આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર કોંકણમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરી દીધુ છે. જેમાં મુંબઈ અને ઠાણે પણ શામેલ છે. પ્રશાસન તરફથી ઠેર-ઠેર રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે.

આંધ્ર-તેલંગાનામાં 20ના મોત
મંગળવારે તેલંગાના અને આંધ્ર પ્રદેશના ઘણા ભાગોમાં મૂસળધાર વરસાદ થયો. આ દરમિયાન તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં વધુ નુકશાન થયુ. ત્યાંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ત્યારબાદ સેના અને એનડીઆરએફની ટીમો મદદ માટે બોલાવવી પડી. એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી લગભગ 20 લોકોના મોતના સમાચાર છે જ્યારે કોરોડોની સંપત્તિને નુકશાન થયુ છે. સ્થિતિને જોતા તેલંગાના સરકારે ગુરુવાર સુધી રજા જાહેર કરી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
