For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજોની નિયુક્તિમા કાર્યપાલિકાની ભૂમિકા પણ હોયઃ અડવાણી

|
Google Oneindia Gujarati News

lk-advani-bjp-flag
નવી દિલ્હી, 25 માર્ચઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આજે કહ્યું છે કે ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રીજાવાદ અને પક્ષપાત તથા અન્ય ખરાબ બાબતોના સમાચારોને જોતા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિની વર્તમાન કોલેજિયમ વ્યવસ્થાની સમીક્ષા કરીને આ પ્રક્રિયામાં કાર્યપાલિકાને પણ સામેલ કરવામાં આવશે.

અડવાણીએ પોતાના નવા બ્લોગમાં રૂમા પાલ અને જે એસ વર્મા જેવા ટોચ શીર્ષ અદાલતને અવકાશપ્રાપ્ત ન્યાયાધીશોના વિચારો તથા વિધિ આયોગના અહેવાલના હવાલાથી કહ્યું કે વર્તમાન કોલેજિયમ વ્યવસ્થામાં માત્ર ભારતના પ્રધાન ન્યાયાધીશ અને ઉચ્ચતમ ન્યાયાલયે ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશ હોય છે. જે પર્યાપ્ત નથી. ભાજપ નેતાએ કહ્યું છે કે નિયંત્રણ અને સંતુલન માટે ન્યાયાધીશોની નિયુક્તિ અને તેના સ્થળાંતરણમાં કાર્યપાલિકાની ભૂમિકા પણ હોવી જોઇએ.

બ્લોગમાં તેમણે લખ્યું છે, 'હાલના દિવસોમાં દેશમાં સૌથી વધારે જે વિષય પર ચર્ચા થઇ રહી છે, તે છે ભ્રષ્ટાચાર. એક સમય હતો જ્યારે ભ્રષ્ટાચારની તમામ વાતો કાર્યપાલિકા, રાજનીતિકો અને નૌકરશાહો સાથે સંબંધિત હતી. ન્યાયપાલિકા, ખાસ કરીને ઉચ્ચ ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અંગે કોઇ ચર્ચા નહોતું કરતુ. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે.' અડવાણીએ કહ્યું કે અવકાશપ્રાપ્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રૂમા પાલને ન્યાયપાલિકાને સાત ઘાતક બાબતોથી ગ્રસ્ત બતાવી છે અને તેમાંની એક ભ્રષ્ટાચાર પણ છે.

ભાજપ નેતાએ કહ્યું કે, હાલના દિવસોમાં ચયનિત ન્યાયાધીશોના સ્તરને લઇને પણ લોકોના વિચારમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે અવકાશપ્રાપ્ત ન્યાયાધીશ જે એસ વર્માએ પણ જજોની વર્તમાન નિયુક્તિ વ્યવસ્થા પર પુનર્વિચાર કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે.

English summary
Pressing for transparency in the appointment of judges, Bharatiya Janata Party (BJP) leader L.K. Advani Monday said the collegium system needs to be revisited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X