જજોની નિયુક્તિમા કાર્યપાલિકાની ભૂમિકા પણ હોયઃ અડવાણી
અડવાણીએ પોતાના નવા બ્લોગમાં રૂમા પાલ અને જે એસ વર્મા જેવા ટોચ શીર્ષ અદાલતને અવકાશપ્રાપ્ત ન્યાયાધીશોના વિચારો તથા વિધિ આયોગના અહેવાલના હવાલાથી કહ્યું કે વર્તમાન કોલેજિયમ વ્યવસ્થામાં માત્ર ભારતના પ્રધાન ન્યાયાધીશ અને ઉચ્ચતમ ન્યાયાલયે ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશ હોય છે. જે પર્યાપ્ત નથી. ભાજપ નેતાએ કહ્યું છે કે નિયંત્રણ અને સંતુલન માટે ન્યાયાધીશોની નિયુક્તિ અને તેના સ્થળાંતરણમાં કાર્યપાલિકાની ભૂમિકા પણ હોવી જોઇએ.
બ્લોગમાં તેમણે લખ્યું છે, 'હાલના દિવસોમાં દેશમાં સૌથી વધારે જે વિષય પર ચર્ચા થઇ રહી છે, તે છે ભ્રષ્ટાચાર. એક સમય હતો જ્યારે ભ્રષ્ટાચારની તમામ વાતો કાર્યપાલિકા, રાજનીતિકો અને નૌકરશાહો સાથે સંબંધિત હતી. ન્યાયપાલિકા, ખાસ કરીને ઉચ્ચ ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અંગે કોઇ ચર્ચા નહોતું કરતુ. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે.' અડવાણીએ કહ્યું કે અવકાશપ્રાપ્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રૂમા પાલને ન્યાયપાલિકાને સાત ઘાતક બાબતોથી ગ્રસ્ત બતાવી છે અને તેમાંની એક ભ્રષ્ટાચાર પણ છે.
ભાજપ નેતાએ કહ્યું કે, હાલના દિવસોમાં ચયનિત ન્યાયાધીશોના સ્તરને લઇને પણ લોકોના વિચારમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે અવકાશપ્રાપ્ત ન્યાયાધીશ જે એસ વર્માએ પણ જજોની વર્તમાન નિયુક્તિ વ્યવસ્થા પર પુનર્વિચાર કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે.