અર્થ ડે નેટવર્કમાં ભારતના રાજદૂત બન્યા હ્રષિકેશ ચુરી
અર્થ ડે નેટવર્કમાં ભારતના રાજદૂત બન્યા હ્રષિકેશ ચુરી
અર્થ ડે નેટવર્ક નામની સંસ્થા 190થી વધુ દેશોમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ એનજીઓ છે, આ એનજીઓએ હ્રુષિકેશ ચુરી પર ભારતના રાજદૂત તરીકે પસંદગી ઉતારી છે. આ સંગઠન છેલ્લા 50 વર્ષથી પર્યાવરણની અનુકૂળ અને પર્યાવરણીય રૂપે જવાબદાર નિર્ણય અને જીવનશૈલીના જ્ઞાન અને પ્રથાઓને આગળ વધારી, પર્યાવરણની રક્ષા કરવામાં અને વર્તમાન તથા ભવિષ્યની પેઢીઓ માટે પોતાના પ્રાકૃતિક સંશાદનોને સંરક્ષિત રાખવા માટે દુનિયાભરમાં કામ કરી રહ્યું છે.
અર્થ ડે નેટવર્કની ગ્લોબલ કમિટીમાં ફિલ્મ ટાયટેનિકના અભિનેતા લિઓનાર્ડો ડિકેપ્રિઓ, હૉલીવુડ અભિનેતા ઝેક એફ્રોન, આનંદ મહિન્દ્રા અને અનિલ કપૂર જેવા વ્યકિતઓ જોડાયેલા છે.
હાઉસફુલ 3, તેરા ઈંતેજાર જેવી ફિલ્મોમાં પોતાના ગીતોથી ઓળખ બનાવનાર હ્રષિકેશને પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે ચૂંટવામાં આવ્યા છે. તેઓ જીટીવી સારેગામાપા અને સારેગામાપા લિટલ ચેમ્સ શોની કેટલીય સીઝનમાં જ્યૂરી પણ રહી ચૂક્યા છે. હ્રુષિકેશ ચુરી હૉલવે ફાઉન્ડેશન એનીઓના અધ્યક્ષ છે, જેઓ બધા માટે સ્વાસ્થ્ય, સેવા, શિક્ષા, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રોમાં મોટા પાયે કામ કરે છે.
CoronaVirus: ચીન 20,000 દર્દીઓને મારી નાખશે! ચીને કહ્યું- અફવા ના ફેલાવો