Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'શિવસેનાનુ નામ અને ચિહ્ન માટે થઈ 2 હજાર કરોડની ડીલ', સંજય રાઉતે લગાવ્યો મોટો આરોપ

સંજય રાઉતે ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ઘોષિત કરવા પર એક મોટો દાવો કર્યો છે.

ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનુ નામ છીનવાઈ ગયા બાદ શિંદે જૂથ પર ઉદ્ધવ જૂથના નેતા એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. હવે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ઘોષિત કરવા પર એક મોટો દાવો કર્યો છે. સંજય રાઉતે ભાજપ અને એકનાથ શિંદે જૂથ પર મોટો આરોપ લગાવીને કહ્યુ કે શિવસેનાનુ નામ અને ચૂંટણી ચિહ્ન મેળવવા માટે 2 હજાર કરોડ રુપિયાની ડીલ કરવામાં આવી હતી.

'2000 કરોડની લેવડ-દેવડ 6 મહિનામાં થઈ'

'2000 કરોડની લેવડ-દેવડ 6 મહિનામાં થઈ'

સંજય રાઉતે કહ્યુ કે, 'શિવસેના અને તેના ચૂંટણી ચિહ્ન (તીર-કમાન) પ્રતીકને છીનવી લેવામાં આવ્યુ છે અને આમાં અત્યાર સુધીમાં 2,000 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. મેં મારા ટ્વીટ દ્વારા દેશને જાણ કરી છે. અમારુ ચૂંટણી ચિહ્ન અને શિવસેનાનુ નામ લઈ લેવામાં આવ્યુ છે, માત્ર એટલુ જ નહિ તે એક બિઝનેસ ડીલ છે, જેના માટે 6 મહિનાની અંદર 2000 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. અને આ મારુ શરૂઆતનુ અનુમાન છે.'

'ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ...'

'ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ...'

સંજય રાઉતે કહ્યુ, 'તે પક્ષ, નેતા અને અનૈતિક જૂથ અમારા કોર્પોરેટરોને ખરીદવા માટે ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ અને 50 લાખથી 1 કરોડની બોલી લગાવતા હોય તો તમે વિચાર કરો કે અમારુ નામ શિવસેના અને ચૂંટણી ચિન્હ મેળવવા માટે કેટલી બોલી લાગી હશે? મારી માહિતી રૂ. 2,000 કરોડ છે.

અમિત શાહ

અમિત શાહ

સંજય રાઉતે કહ્યુ, 'મહારાષ્ટ્રના લોકો અમિત શાહ શું કહે છે તેના પર ધ્યાન આપતા નથી. જે સત્ય ખરીદવાનુ કામ કરે છે, તે સાચા અને ખોટાની શું વાત કરે છે. લોકોએ નક્કી કરવાનુ છે અને જ્યારે સમય આવશે ત્યારે તેઓ કરશે. મહારાષ્ટ્રના લોકો નક્કી કરશે કે શિવસેના કોની હતી અને કોની રહેશે. મહારાષ્ટ્રમાં કોણ જીત્યુ અને કોણ હાર્યુ તે સમય આવશે ત્યારે બતાવીશુ. અમે હવે કંઈ કહીશુ નહિ.

'દેશના ઈતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી'

'દેશના ઈતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી'

સંજય રાઉતે કહ્યુ, 'મને ખાતરી છે કે ચિહ્ન અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને વ્યવહારો થયા છે. આ એક પ્રાથમિક આંકડો છે અને 100 ટકા સાચો છે. ટૂંક સમયમાં ઘણી બાબતો બહાર આવશે. દેશના ઈતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X