RSS એ એમેઝોન પર ધર્માંતરણનો આરોપ લગાવ્યો, જાણો શું છે પુરો મામલો?
ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે.
નવી દિલ્હી : ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે. આરએસએસનો આરોપ છે કે, એમેઝોન નોર્થ ઈસ્ટ ભારતમાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા ભંડોળ પૂરું પાડી રહી છે. એમેઝોન અહીં વસ્તી વિષયક ફેરફાર કરવા માટે આ અભિયાન ચલાવી રહ્યું છે.

આ મુદ્દો આરએસએસ સાથે જોડાયેલા મેગેઝીન ધ ઓર્ગેનાઈઝરમાં લગાવવામાં આવ્યો છે. અમેઝિંગ ક્રોસ કનેક્શન ટાઈટલ સાથે આ વિશે કવર સ્ટોરી કરાઈ છે. સંઘનો આરોપ છે કે, એમેઝોન અહીં અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા ધર્માંતરણનું અભિયાન ચલાવી રહ્યું છે. જો કે, એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા છે.
પત્રિકા અનુસાર, કે ઈ-કોમર્સ જાયન્ટ અહીંના અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. એ પણ શક્યતા છે કે આ માટે મની લોન્ડરિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને એબીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ભારતમાં મિશનરી ધર્માંતરણનું મિશન મોટા પાયે હાંસલ કરી શકાય. અખિલ ભારતીય મિશનને ABM દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેને તેની વેબસાઇટ પર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓએ ઉત્તરપૂર્વ ભારતમાં 25,000 લોકોનું ધર્માંતરણ કર્યું છે.
સ્ટોરીમાં AIMની ટ્વિટર પોસ્ટનો ઉલ્લેખ કરીને દાવો કરાયો છે કે, એમેઝોન દ્વારા લોકોને ફંડિંગ માટે અપીલ કરવામાં આવી છે, તેમાં એમેઝોન સ્માઈલનો લોગો પણ હોય છે. એમેઝોન અખિલ ભારતીય મિશન દ્વારા ભારતમાં ધર્માંતરણ માટે ભંડોળ પૂરું પાડે છે. આ તમામ આરોપોને નકારી કાઢતાં એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, એમેઝોન ઈન્ડિયાને ઓલ ઈન્ડિયા મિશન સાથે કોઈ સંબંધ નથી અને એમેઝોનના અન્ય કોઈ જૂથને એમેઝોન સ્માઈલ પ્રોગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ધ ઓર્ગેનાઈઝર મેગેઝીન અહેવાલની નોંધ લીધી છે. NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું કે, અમને સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશમાંથી અનાથાશ્રમોમાં થઈ રહેલા ગેરકાયદે ધર્માંતરણ અને એમેઝોનના કથિત ભંડોળ અંગે ફરિયાદ મળી હતી. તપાસ બાદ પંચે પુષ્ટિ કરી હતી કે અખિલ ભારતીય મિશન ભારતમાં ગેરકાયદેસર રીતે અનાથાશ્રમ ચલાવી રહ્યું છે, જ્યાં આ લોકો ધર્માંતરણ અભિયાન ચલાવે છે. અમે અખિલ ભારતીય મિશન સાથે તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે અમે વેબસાઈટ તપાસી તો સાઈટ બ્લોક થઈ ગઈ હતી, તેથી અમારે તપાસ અટકાવવી પડી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
