RSS એ એમેઝોન પર ધર્માંતરણનો આરોપ લગાવ્યો, જાણો શું છે પુરો મામલો?
ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે.
નવી દિલ્હી : ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે. આરએસએસનો આરોપ છે કે, એમેઝોન નોર્થ ઈસ્ટ ભારતમાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા ભંડોળ પૂરું પાડી રહી છે. એમેઝોન અહીં વસ્તી વિષયક ફેરફાર કરવા માટે આ અભિયાન ચલાવી રહ્યું છે.

આ મુદ્દો આરએસએસ સાથે જોડાયેલા મેગેઝીન ધ ઓર્ગેનાઈઝરમાં લગાવવામાં આવ્યો છે. અમેઝિંગ ક્રોસ કનેક્શન ટાઈટલ સાથે આ વિશે કવર સ્ટોરી કરાઈ છે. સંઘનો આરોપ છે કે, એમેઝોન અહીં અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા ધર્માંતરણનું અભિયાન ચલાવી રહ્યું છે. જો કે, એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા છે.
પત્રિકા અનુસાર, કે ઈ-કોમર્સ જાયન્ટ અહીંના અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. એ પણ શક્યતા છે કે આ માટે મની લોન્ડરિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને એબીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ભારતમાં મિશનરી ધર્માંતરણનું મિશન મોટા પાયે હાંસલ કરી શકાય. અખિલ ભારતીય મિશનને ABM દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેને તેની વેબસાઇટ પર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓએ ઉત્તરપૂર્વ ભારતમાં 25,000 લોકોનું ધર્માંતરણ કર્યું છે.
સ્ટોરીમાં AIMની ટ્વિટર પોસ્ટનો ઉલ્લેખ કરીને દાવો કરાયો છે કે, એમેઝોન દ્વારા લોકોને ફંડિંગ માટે અપીલ કરવામાં આવી છે, તેમાં એમેઝોન સ્માઈલનો લોગો પણ હોય છે. એમેઝોન અખિલ ભારતીય મિશન દ્વારા ભારતમાં ધર્માંતરણ માટે ભંડોળ પૂરું પાડે છે. આ તમામ આરોપોને નકારી કાઢતાં એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, એમેઝોન ઈન્ડિયાને ઓલ ઈન્ડિયા મિશન સાથે કોઈ સંબંધ નથી અને એમેઝોનના અન્ય કોઈ જૂથને એમેઝોન સ્માઈલ પ્રોગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ધ ઓર્ગેનાઈઝર મેગેઝીન અહેવાલની નોંધ લીધી છે. NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું કે, અમને સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશમાંથી અનાથાશ્રમોમાં થઈ રહેલા ગેરકાયદે ધર્માંતરણ અને એમેઝોનના કથિત ભંડોળ અંગે ફરિયાદ મળી હતી. તપાસ બાદ પંચે પુષ્ટિ કરી હતી કે અખિલ ભારતીય મિશન ભારતમાં ગેરકાયદેસર રીતે અનાથાશ્રમ ચલાવી રહ્યું છે, જ્યાં આ લોકો ધર્માંતરણ અભિયાન ચલાવે છે. અમે અખિલ ભારતીય મિશન સાથે તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે અમે વેબસાઈટ તપાસી તો સાઈટ બ્લોક થઈ ગઈ હતી, તેથી અમારે તપાસ અટકાવવી પડી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
