મહંત નરેન્દ્ર ગિરીના પાર્થિવ દેહને અપાઇ સમાધી, પદ્માસન મુદ્દામાં થયા બ્રહ્મલીન
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના પાર્થિવ દેહને મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રી મઠ બાઘમ્બરી ગદ્દીમાં તેમના ગુરુની બાજુમાં ભૂ-સમાધિ આપવામાં આવી હતી. મહંત નરેન્દ્ર ગિરી પદ્માસન મુદ્રામાં બ્રહ્મલી
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના પાર્થિવ દેહને મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રી મઠ બાઘમ્બરી ગદ્દીમાં તેમના ગુરુની બાજુમાં ભૂ-સમાધિ આપવામાં આવી હતી. મહંત નરેન્દ્ર ગિરી પદ્માસન મુદ્રામાં બ્રહ્મલીન થયા. તેમને યોગની મુદ્રામાં બેસાડવામાં આવ્યા હતા. આ પછી માટી, ચંદન અને અત્તરનો ઉપયોગ થયો. આખી કબર ગુલાબના પાંદડાથી ભરેલી હતી. મહંત નરેન્દ્ર ગિરીને અત્યંત ઉદાસ વાતાવરણમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, મહંત નરેન્દ્ર ગિરીએ પોતાની સુસાઈડ નોટમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને મઠના ઉદ્યાનમાં સમાધિ આપવામાં આવે.

એક વર્ષ બાદ સમાધિ સ્થળને ક્રોંકિટની બનાવવામાં આવશે
તમને જણાવી દઈએ કે એક વર્ષ સુધી આ કબર કાચી જ રહેશે. તેના પર શિવલિંગની સ્થાપના કરવામાં આવશે અને રોજ પૂજા કરવામાં આવશે. આ પછી કબરને કોંક્રિટની બનાવવામાં આવશે. છેલ્લી વિદાય વખતે મોટા સંતો ત્યાં હાજર હતા. સમગ્ર વૈદિક પરંપરા અને સનાતન ધર્મની પરંપરા મુજબ મહંત નરેન્દ્ર ગિરીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મહંત નરેન્દ્ર ગિરી આશ્રમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા
તમને જણાવી દઈએ કે સોમવારે મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. તેમનો મૃતદેહ બાઘમ્બારી મઠમાં તેના રૂમમાં છતના પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં શિષ્ય આનંદ ગિરી પર તેમને હેરાન કરવાનો આરોપ છે. પોલીસે આનંદ ગિરીની ધરપકડ કરી છે. પ્રયાગરાજમાં આનંદ ગિરી સહિત ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેયની પૂછપરછ ચાલુ છે.

સુસાઇડ નોટમાં લખી આ વાત
સુસાઈડ નોટના પહેલા પાનામાં લખ્યું છે કે, "હું મહંત નરેન્દ્ર ગિરી છું, આજે આનંદ ગિરીને કારણે મારું મન વ્યગ્ર છે. હરિદ્વાર તરફથી આવી માહિતી મળી હતી કે આનંદ ગિરી કોમ્પ્યુટર દ્વારા એક છોકરી સાથે મારો ફોટો ઉમેરીને ખોટું કામ કરીને મને બદનામ કરશે. આનંદ ગિરી કહે છે કે મહારાજ એટલે હું સ્પષ્ટતા આપતો રહીશ. હું જે આદર સાથે જીવું છું, જો મારી બદનામી થાય તો હું સમાજમાં કેવી રીતે રહીશ. આના કરતાં મરવું વધુ સારું છે. "
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
