For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ યોગીનું જૂનું નામ લીધા બાદ સપાના નેતા પર એફઆઈઆર, જાણો શું કહી બોલાવ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જૂનું નામ લેવા બદલ સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જૂનું નામ લેવા બદલ સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એડવોકેટ કમલેશચંદ્ર ત્રિપાઠી દ્વારા વારાણસીના શિવપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે. તેના ઉપર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આઈપી સિંહે યોગી આદિત્યનાથનું જુનું નામ 'અજયસિંહ બિષ્ટ' તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું.

ધાર્મીક લાગણીને પહોંચી ઠેસ

ધાર્મીક લાગણીને પહોંચી ઠેસ

એડવોકેટ કમલેશચંદ્ર ત્રિપાઠીએ પોતાની ફરીયાદમાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સંત પરંપરા અનુસાર જીવન જીવે છે. ગોરક્ષપીઠના અધ્યક્ષ હોવા છતાં, આઈપી સિંઘ સોશ્યલ મીડિયા પર યોગી આદિત્યનાથની જગ્યાએ અજયસિંહ બિષ્ટ નામ લખ્યું છે. આ રીતે તે સંતો અને તેમની પરંપરાઓ સાથે સનાતન ધર્મમાં માનનારાની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આઈપી સિંઘ સામે આઇટી એક્ટની કલમ 67 (ઇલેક્ટ્રોનિક રીતે દ્વેષપૂર્ણ બાબતોને પ્રોત્સાહન આપવી) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સોમવારે શિવપુર પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાઈ છે. કેન્ટોનમેન્ટના સર્કલ ઓફિસર, મોહમ્મદ મુસ્તાકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઈપી સિંહે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તેના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમણે મુખ્યમંત્રીનું જૂનું નામ લીધું હતું. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તપાસ બાદ જ વધુ માહિતી આપવામાં આવશે.

કેસ નોંધાયા બાદ આઇપી સિંહે આપ્યો આ જવાબ

એસપીના પ્રવક્તા આઇપી સિંહે બુધવારે ફરિયાદ દાખલ થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, જો સાચું નામ લેવાનું ગુનો છે તો પોલીસ મોકલીને મારી ધરપકડ કરો. ઉત્તર પ્રદેશ પોલીસે પણ સીરિયાને પાછળ છોડી દીધું છે.

હાઇકોર્ટમાં જઇ એફઆઈઆરને પડકારશે

હાઇકોર્ટમાં જઇ એફઆઈઆરને પડકારશે

અહીં સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે દાવો કર્યો છે કે મીડિયા અહેવાલો દ્વારા તેમને આ એફઆઈઆર વિશે જાણકારી મળી છે. સમાજવાદી પાર્ટીના નેતાના કહેવા પ્રમાણે, "પોલીસે આ મામલે તેમને હજી સુધી કંઇ કહ્યું નથી." તેઓનો આક્ષેપ છે કે પોલીસે તેમની તરફેણ લીધા વિના આ કેસમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. મે યુપીના સીએમ આદિત્યનાથના જૂના નામ સાથે કંઈપણ ખોટું કર્યું નથી. સપા નેતાએ ગયા બુધવારે ટ્વીટ કર્યું હતું કે તેઓ હાઇકોર્ટમાં જશે અને આ એફઆઈઆરને પડકારશે.

English summary
Samajwadi Party Leader Booked for Calling CM Yogi Adityanath his Real Name Ajay singh Bisht Twitter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X