સંજય રાઉતે ફડણવીસને આપ્યો જવાબ, કહ્યું- પહેલા પીઓકે તો લઇ લો પછી કરાચી જઇશું
શિવસેનાએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના એક દિવસ પાકિસ્તાન શહેર કરાચીના ભારતમાં જોડાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે કરાચીનો મામલો બાદનો છે, પહેલા
શિવસેનાએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના એક દિવસ પાકિસ્તાન શહેર કરાચીના ભારતમાં જોડાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે કરાચીનો મામલો બાદનો છે, પહેલા કાશ્મીરના તે ભાગ વિશે વિચારો જેનો પાકિસ્તાન કબજે કરે છે. રાઉતે કહ્યું કે પહેલા પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર પાછુ લો પછી કરાચી જઈશુ.

પહેલા પીઓકે લો
સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે સંયુક્ત ભારતના સપનાને સાકાર કરવાની વાત કરી છે અને એક દિવસ કરાચી ફરી ભારતમાં ફરી જોડાશે. હું કહું છું કે પહેલા આપણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછુ લેવુ પડશે. આ પછી કરાચી પણ જઈશુ.

એનસીપીએ કહ્યું, બાંગ્લાદેશને ભારતમાં સમાવો
ફડણવીસના નિવેદન પર મહારાષ્ટ્રની અન્ય મુખ્ય પાર્ટી એનસીપીએ કહ્યું છે કે, કરાચી જ કેમ બાંગ્લાદેશને ભારતનો ભાગ બનાવે તો સારું છે. એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ જે રીતે નિવેદનો આપી રહ્યા છે, તે મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેને ભારતમાં ઉમેરવા જોઈએ. જો ભાજપ ત્રણેય દેશોને જોડે તો અમે સ્વાગત કરીશું.

શું છે પુરો મામલો
તાજેતરમાં જ મુંબઇ સ્થિત કરાચી સ્વીટ્સમાં શિવસેનાના એક નેતાએ દુકાનના નામ પર હોબાળો મચાવ્યો હતો. શિવસેનાના નેતાએ દુકાન કરાચી સ્વીટ્સમાંથી નામ કાઢી નાખવું જોઈએ કારણ કે તે પાકિસ્તાનનું એક શહેર છે અને આ નામ ભારતમાં ન હોવું જોઈએ. આ અંગે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ભાજપ 'અખંડ ભારત'માં માને છે અને કરાચી એક દિવસ ભારતનો ભાગ બનશે. શિવસેના અને એનસીપીએ હવે ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: સ્પૂતનિક-Vએ સૌથી સસ્તી વેક્સીન હોવાનો કર્યો દાવો, સરકારને આપી ખરીદવાની ઑફર
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
