સાવરકરને લઈને રાહુલ ગાધીના બીજેપી પર પ્રહાર, કહ્યું- સાવરકરે અંગ્રેજોને મદદ કરી, ગાંધી-નેહરુ અને સરદાર સાથે દગ
કોંગ્રેસ અને બીજેપી સાવરકર મુદ્દે ફરી વખત આમને સામને છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુવ ગાંધીએ સાવરકરને અંગ્રેજોના મદદગાર ગણાવ્યા હતા.
નવી દિલ્હી : કોંગ્રેસ અને બીજેપી સાવરકર મુદ્દે ફરી વખત આમને સામને છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુવ ગાંધીએ સાવરકરને અંગ્રેજોના મદદગાર ગણાવ્યા હતા.

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે . ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. અહીં અકોલીમાં રાહુલ ગાંધીએ એક લેટર દેખાડીને સાવરકર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સાવરકર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સાવરકરે અંગ્રેજોને મદદ કરી અને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓ સાથે દગો કર્યો હતો.
રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા એક પત્ર પણ દેખાડ્યો હતો. આ પત્ર દેખાડતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વીર સાવરકરે અંગ્રેજોને એક પત્રમાં કહ્યું હતું કે, સાહેબ, હું તમારા સૌથી આજ્ઞાંકિત સેવક તરીકે રહેવા વિનંતી કરું છું અને તેના પર સહી કરી. સાવરકરે અંગ્રેજોને મદદ કરી. ડરથી પત્ર પર સહી કરીને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓને દગો આપ્યો.
રાહુલ ગાંધી મીડિયા સામે એક પત્ર સાથે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સાવરકરનો પત્ર છે. રાહુલ ગાંધીએ મીડિયા સામે પત્ર વાચ્યો હતો. તેમાં લખ્યુ હતું કે, સાહેબ, હું તમારા નીચે રહેવા માંગુ છું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મેં નથી કહ્યું, સાવરકરજીએ લખ્યું છે. તેણે અંગ્રેજોને મદદ કરી. સાવરકરજીએ આ કાગળ પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમનું કારણ ડર હતું, જો તેઓ ડરતા ન હોત તો તેમણે ક્યારેય સહી ન કરી હોત. જ્યારે તેમણે સહી કરી ત્યારે તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વગેરે નેતાઓ સાથે દગો કર્યો.
આ પહેલા રાહુલ ગાંધીએ સાવરકર વિશે કહ્યું હતું કે, તેઓ ભાજપ અને આરએસએસના પ્રતીક છે. સાવરકરે પોતાના પર એક અલગ નામથી પુસ્તક લખ્યું અને જણાવ્યું કે તેઓ કેટલા બહાદુર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે અંગ્રેજોને દરેક રીતે મદદ કરી છે. તે અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા, તેમના માટે કામ કરતા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
