પ્રણવનું રાષ્ટ્રપતિ બનવું યોગ્ય, સંગમાની અરજી રદ

રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ભાજપ સમર્થિત ઉમેદવાર સંગમાએ આ આપત્તિ નોંધાવી હતી કે નામાંકન સમયે પ્રણવ મુખરજી ભારતીય સાંખ્યિકી સંસ્થાન કોલકતાના લાભ પદ પર નિયુક્ત હતા.
સંગમાએ રાષટ્રપતિ પર ખોટી સહી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, ત્યારે સંગમા આ મામલો લઇને નિર્વાચન આયોગ પાસે પહોંચ્યા હતા, પરંતુ નિર્વાચન આયોગે કહ્યું હતુ કે, જો સંગમાની કોઇ ફરિયાદ છે તો તેને લઇને ચૂંટણી પચી સુપ્રીમ કોર્ટમાં યાચીકા કરે તે યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે બહુમતના આધારે એવો નિર્ણય કર્યો કે રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીની નિયુક્તિ યોગ્ય છે છે અને સંગમાની અરજીને ખારીજ કરી દેવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરની અધ્યક્ષ્તાવાળી પીઠને બેની સામે ત્રણથી નિર્ણય આપ્યો કે સંગમાની યાચીકા નિયમિત સુનાવણીને યોગ્ય નતી. મુખ્ય ન્યાયાધીશે પોતાની અને ન્યાયમૂર્તિ પી સદાશિવમ, એસએસ નિઝ્ઝર તરફથી નિર્ણય સંભળાવતા કહ્યું કે, ચૂંટણી યાચીકા વિચારયોગ્ય નથી. તેને ખારીજ કરવામાં આવે છે. ભિન્ન મત રાખનાર અન્ય બે ન્યાયધીશોએ પોતાના નિર્ણય અલગથી સંભળાવતા એવું સલાહ આપી કે આ સુનાવણી યોગ્ય છે.
ન્યાયમૂર્તિ જી ચેલમેશ્વરે પોતાની અને ન્યાયમૂર્તિ રાજન ગોગોઇ તરફથી નિર્ણય સંભળાવતા કહ્યું કે, એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મુખર્જી ભારતીય સાંખ્યિકી સંસ્થાના અધ્યક્ષ પદ તરીકે લાભના પદ પર હતા, તેથી તેમને વિચાર છેકે સંગમા દ્વારા દાખલ યાચિકા સુનાવણી યોગ્ય છે. તેમણે કહ્યું કે તે આગામી સપ્તાહમાં જણાવશે કે તેમની સલાહ મુખ્ય ન્યાયાધીશ સહતિ બહુમતથી અલગ કેમ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
