For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કાર કેસમાં આસારામની જામીન અરજી પર સુનાવણી કરવાનો કોર્ટનો ઇનકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જુલાઇ: સુપ્રીમ કોર્ટે કથાકાર આસારામની વિરુધ્ધ ગુજરાતના સુરતમાં નોંધાયેલ બળાત્કારના મામલામાં તેમની જામીન અરજી પર સુનાવણી કરવાનો ગુરુવારે ઇનકાર કરી દીધો છે, પરંતુ તેઓ જોધપુરમાં નોંધાયેલા અન્ય એક બળાત્કારના મામલામાં તેમની જામીન અરજી પર સુનાવણી કરવા માટે રાજી થઇ ગઇ છે.

ન્યાયમૂર્તિ તીરથ સિંહ ઠાકુરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 76 વર્ષીય વિવાદાસ્પદ કથાકારને જણાવ્યું કે જામીન માટે તેમને ગુજરાત હાઇ કોર્ટ જવું પડશે. આસારામ ગયા વર્ષે સપ્ટેમ્બરથી જેલમાં બંદ છે.

asaram
જોકે કોર્ટે જોધપુર મામલામાં આસારામની જામીન અરજી પર રાજસ્થાન સરકારને નોટિસ જારી કરી છે. આ મામલામાં કોર્ટ ઑગસ્ટમાં સુનાવણી કરશે.

કોર્ટ આસારામના આ અનુરોધ પર પણ સુનાવણી માટે રાજી થઇ ગયું કે ઘટનાવાળા દિવસે કથિત પીડિત સગીર નહીં હોવા અંગે નીચલી કોર્ટમાં પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે.

આસારામની વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 376, 342, 506 અને 509ની સાથે જ શારીરિક ક્રાઇમથી બાળકોનું સંરક્ષણ(પોક્સો) કાનૂનની ધારા 8 અને કિશોર ન્યાય કાનૂનની ધારા 23 તથા 26 હેઠળ મામલો નોંધાયેલો છે.

English summary
The Supreme Court today refused to entertain self-styled godman Asaram Bapu's bail plea in a rape case lodged against him in Surat in Gujarat but agreed to hear his petition for bail in another rape case filed in Jodhpur in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X