For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરપ્પનના ચાર સાથીઓની ફાંસી પર બુધવાર સુધી રોક

|
Google Oneindia Gujarati News

supreme-court
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટે ચંદન ચોર વિરપ્પનના ચાર સાથીઓની પાંસી પર બુધવાર સુધી રોક લગાવી દીધી છે. એટલે કે બુધવાર સુધી વિરપ્પનના સાથીઓને ફાંસી આપી શકાશે નહીં. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અલ્તમસ કબીરની બેન્ચે આ મામલાની સુનાવણી કરી ને ફાંસી પર રોક લગાવી દીધી. આ મામલાની આગામી સુનાવણી 20 તારીખે કરવામાં આવશે.

આ પહેલા તેમની ફાંસીની દયા અરજીને રાષ્ટ્રપતિએ ખારીજ કરી દીધી હતી, ત્યારબાદ ફાંસીની સજા મેળવનારા ચારેય દોષિઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ ચારેય દોષીઓ માટે ફાંસીની તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.

નોંઘનીય છે કે, વર્ષ 1993માં કર્ણાટકના પલારમાં બારુદી સુંગ વિસ્ફોટ મામલે વિરપ્પના મોટા ભાઇ જ્ઞાનપ્રકાશ, સિમોન, મીસેકર મદૈયા અને બિલાવેન્દ્રનને વર્ષ 2004માં મોતની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલામાં 22 પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ 13 ફેબ્રુઆરીએ તેમની દયા અરજીને ખારીજ કરી નાંખી હતી.

ચારેય દોષી કર્ણાટકના બેલગામની એક જેલમાં બંધ છે. વર્ષ 2001માં મૈસુરની ટાડા અદાલતે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ ઉચ્ચ અદાલતે સજા વધારીને મૃત્યુંદંડ કરી હતી. ટૂકડીનો આલા વિરપ્પનન ઓક્ટોબર 2004માં તામિળનાડુ પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયો હતો.

English summary
The Supreme Court on Monday stayed the execution on four aides of Sandalwood smuggler Veerappan - their mercy petition was rejected by President Pranab Mukherjee last week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X