Video : 50 ફૂટ ઊંડા ખાડામાંથી જીવતો નીકળ્યો આ માણસ
50 ફૂટ ઊંડા ખાડામાંથી જીવતો બહાર નીકળ્યો યુવક, થોડા તેના નસીબ અને એસડીઆરએફ ટીમની મહેનતે બચાવ્યા યુવકના પ્રાણ. જુઓ વીડિયો
સામાન્ય રીતે જ્યારે તમે 50 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હોવ તો 50 ફૂટ સાંભળીને જ લોકોને લાગે કે હવે તમારી બચવાની સંભાવના બહુ ઓછી છે. તેમાં પણ તમે જો કોઇ હિમાચ્છિદ પ્રદેશમાં હોવ. ખરેખરમાં આવું ખુબ જ ઓછી વાર બને છે કે કોઇ 50 ફૂટ ઊંડા ખાડામાંથી જીવતું બહાર આવ્યું હોય. ઉત્તરાખંડમાં ચમોલી વિસ્તારમાં બદ્રીનાથથી ઉપર સતોપંથ માર્ગમાં એક પર્વતારોહી બરફના એક 50 ફૂટ ઊંડા ખાડામાં પડી ફસાઇ જાય છે. તે પછી અન્ય પર્વતારોહી દ્વારા એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવે છે. જે આ પર્વતારોહી યુવકને શોધી લે છે પણ તે એક તેવા સીધા અને પતળા ખાડામાં ફસાયો છે જ્યાંથી તેને નીકાળવો એટલો પણ સરળ નથી. તે પણ ત્યારે જ્યારે તમે એક ચારે તરફ બરફથી છવાયેલી જગ્યાએ હોવ. પણ તેમ છતાં એસડીઆરએફની ટીમે 2 કલાકની ભારે મહેનત અને તેની સમજદારીથી આ પર્વતારોહક યુવકને જીવતો નીકાળ્યો.

મળતી જાણકારી મુજબ દિલ્હીથી 6 લોકોની ટ્રેકિગ ટીમ બદ્રિનાથથી ઉપરની તરફ 5500 મીટરની ઊંચાઇ પર સતોપંથ માર્ગથી પસાર થઇ રહી હતી ત્યારે ટીમમાંથી એક યુવક અચાનક ગાયબ થઇ ગયો. નસીબજોગ અહીં એસડીઆરએફની ટીમ ટ્રેનિંગ કરી રહી હતી. અને તેમણે આ યુવકને શોધી તેની બચાવી લીધો. દોરડાની મદદથી ખાડામાં પડેલા યુવકને બહાર નીકાળવામાં આવ્યો. 24 વર્ષીય પ્રયાંગ ચૌધરી નામનો આ યુવક નોયડાનો રહેવાસી છે જેણે એસડીઆરએફના જવાનોએ નવ જીવન આપ્યું છે. ત્યારે જુઓ આ રેસક્યૂનો આ વાયરલ વીડિયો...
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
