Amul પર ગંભીર આરોપ, જાણો કેમ ચિંતામાં છે કંપની
ગુજરાતમાં સ્થિત મિલ્ક કોઓપરેટિવ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ(Amul) એ કર્ણાટકમાં પોતાની એન્ટ્રીને કારણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 5 એપ્રિલના રોજ અમુલે પોતાના લિક્વિડ મિલ્ક અને ડેરી પ્રોડક્ટસ સાથે બેંગ્લોર માર્કેટમાં એન્ટ્રી કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
અમૂલે ટ્વીટ કર્યું હતું કે, તે બેંગ્લોરમાં તાજા દૂધ અને અન્ય ઉત્પાદનોની સપ્લાય કરશે. જે બાદ અમૂલને સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો છે. કર્ણાટકના લોકો તેમની રાજ્ય બ્રાન્ડ 'નંદિની' ને સમર્થન આપી રહ્યા છે, જે પછી ટ્વિટર પર #gobackAMUL હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ખાસ કરીને તેની સ્થાનિક બ્રાન્ડ 'નંદિની'ને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. KMF હાલમાં દેશની બીજી સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે. સોશિયલ મીડિયા પર, કર્ણાટકના ઘણા યુઝર્સ તેમની સ્થાનિક બ્રાન્ડના સમર્થનમાં સામે આવી રહ્યા છે. આ સાથે બેંગ્લોરમાં અમૂલનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
અમૂલ પર લાગ્યા આ આરોપ
KMFના ભૂતપૂર્વ અધિકારીઓ અને ઘણા નેતાઓએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે Amulપર હિંસક પ્રથાઓમાં સામેલ થવા અને સહકારી મંડળીઓના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.
એક અહેવાલ અનુસાર, ભૂતપૂર્વ KMF મેનેજિંગ ડિરેક્ટર પ્રેમનાથે જણાવ્યું હતું કે, દૂધ સંઘોમાં અન્ય રાજ્યોમાં સ્પર્ધામાં ભાગ ન લેવાનો અલિખિત નિયમ છે. KMF માને છે કે, તે અનૈતિક છે, તેથી જ તેણે વધારાની ખરીદી હોવા છતાં અન્ય રાજ્યોમાં પ્રવેશ કર્યો નથી.
બેંગ્લોર મિલ્ક યુનિયન લિમિટેડના પ્રમુખ નરસિમ્હામૂર્તિએ જણાવ્યું હતું કે, Amul એ કર્ણાટકમાં કોઈ સહકારી મંડળીની રચના કરી નથી, જેનો અર્થ એમ થઈ શકે કે, તેઓ ગુજરાત અથવા પડોશી રાજ્યોમાંથી મેળવેલા દૂધની સપ્લાય કરશે.
રાજ્યસભાના સાંસદ જીસી ચંદ્રશેખરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમૂલને બેંગ્લોરમાં પગ જમાવવામાં અને તાજું દૂધ લોન્ચ કરવામાં મદદ કરવા માટે કર્ણાટકમાં કૃત્રિમ અછત સર્જવામાં આવી રહી છે.
દરરોજ લગભગ 73 લાખ લીટર દૂધ ખરીદે છે KMF
KMFના વર્તમાન ડિરેક્ટર (માર્કેટિંગ) એમ રઘુનંદને જણાવ્યું હતું કે, રાજ્યમાં દૂધની કોઈ અછત નથી અને KMF દરરોજ લગભગ 73 લાખ લીટર દૂધ ખરીદે છે. અહેવાલો અનુસાર, KMFને ડર છે કે, પરપ્રાંતિઓ નંદિની બ્રાન્ડ તરફ સ્વિચ કરી શકે છે, જેના કારણે KMF ની માંગમાં ઘટાડો થઈ શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે, જો Amul નું દૂધ અન્ય રાજ્યોમાંથી ખરીદવામાં આવે, તો તેને બેંગ્લોર પહોંચવામાં સમય લાગશે અને તે નંદિનીના દૂધ જેટલું તાજું નહીં હોય, જે દૂધ ભર્યાના 24 કલાકમાં તાજું ખરીદીને સપ્લાય કરવામાં આવે છે.