શાહજહાંપુર: કોર્ટના પરિસરમાં વકીલના ગોળી મારીને હત્યા, હડકંપ મચ્યો
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં સોમવારે સવારે કોર્ટના ત્રીજા માળે એક વકીલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વકીલની ઓળખ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હંગામો મચી ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં સોમવારે સવારે કોર્ટના ત્રીજા માળે એક વકીલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વકીલની ઓળખ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હંગામો મચી ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસપી એસ આનંદે કહ્યું, "પ્રારંભિક અહેવાલો મુજબ એવું લાગે છે કે યુવક એકલો હતો. ઘટના સમયે તેની આસપાસ અન્ય કોઈ વ્યક્તિ દેખાઈ ન હતી. ફોરેન્સિક ટીમ તેનું કામ કરી રહી છે. હત્યાનો સમય અને સંજોગો સ્પષ્ટ નથી. "
મોહલ્લા ઇદગાહમાં રહેતા ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ (36) એ બે વર્ષ પહેલા કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. સોમવારે ભૂપેન્દ્રસિંહ કોર્ટમાં ત્રીજા માળે આવેલા રેકોર્ડ રૂમમાં કેટલાક કામ માટે ગયા હતા. બપોરે 12 વાગ્યે હુમલાખોરોએ ભૂપેન્દ્રને પિસ્તોલથી ગોળી મારી હતી અને ભાગી ગયા હતા. ભુપેન્દ્રને પાછળથી ગોળી વાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પર 18 કેસ પણ હતા. કોર્ટ પરિસરમાં બનેલી ઘટનાએ હંગામો મચાવ્યો હતો. તમામ વકીલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભૂપેન્દ્ર સિંહ લોહીથી લથપથ ગેલેરીમાં પડેલો મળી આવ્યો હતો. લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનું મૃત્યું થઇ ગયું હતુ. 315 બોરની પિસ્તોલ મૃતદેહથી કેટલાક અંતરે પડેલી મળી આવી હતી.
પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ડીએમ ઈન્દ્ર વિક્રમ સિંહ અને એસપી એસ આનંદ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે ઘટના અંગે પૂછપરછ કરી હતી. વકીલોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એસપીએ ઘટનાને ઉજાગર કરવા ટીમો બનાવી છે.