રામ મંદીર નિર્માણ માટે નેપાળથી અયોધ્યા પહોંચ્યા શાલિગ્રામ પથ્થર, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત
આ પથ્થરનો ઉપયોગ રામ અને જાનકીની મૂર્તિઓ બનાવવા માટે કરવામાં આવશે. શાલિગ્રામને રામ મંદિરના મુખ્ય મંદિર પરિસરમાં રાખવામાં આવશે. શાલિગ્રામ બુધવારે ગોરખપુર પહોંચ્યો હતો.
રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષ સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જશે. દરમિયાન ગુરુવારે નેપાળથી બે શાલિગ્રામ પથ્થરો અયોધ્યા પહોંચ્યા હતા. પૂજારીઓ અને સ્થાનિક લોકોએ ભગવાન રામના જન્મસ્થળ પર પવિત્ર પથ્થરોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપતા પહેલા પથ્થરોને માળાથી શણગારવામાં આવ્યા હતા અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

આ પથ્થરનો ઉપયોગ રામ અને જાનકીની મૂર્તિઓ બનાવવા માટે કરવામાં આવશે. શાલિગ્રામને રામ મંદિરના મુખ્ય મંદિર પરિસરમાં રાખવામાં આવશે. શાલિગ્રામ બુધવારે ગોરખપુર પહોંચ્યો હતો, જ્યાં તેને પૂજા માટે ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે નેપાળમાં કાલી ગંડકી નામનો ધોધ છે. તે દામોદર કુંડમાંથી નીકળે છે અને ગણેશ્વર ધામ ગંડકીથી લગભગ 85 કિમી ઉત્તરે છે. આ બંને પથ્થરો ત્યાંથી લાવવામાં આવ્યા છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી 6000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. લોકો એમ પણ કહે છે કે તે કરોડો વર્ષ જૂનું છે. બે પથ્થરોનું વજન લગભગ 30 ટન અને 14-15 ટન છે.
નેપાળી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બિમલેન્દ્ર નિધિ, જે માતા સીતાના જન્મસ્થળ જનકપુરના રહેવાસી છે, તેઓ જાનકી મંદિર સાથે સંકલન કરે છે. કાલી ગંડકી નદીમાંથી બે પથ્થર મોકલવામાં આવ્યા છે, ત્યાં શાલિગ્રામ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. નેપાળી અધિકારીઓએ જણાવ્યું કે બે પવિત્ર પથ્થરો, જેમાંથી એકનું વજન 18 ટન અને બીજાનું 16 ટન છે. મૂર્તિ બનાવવા માટે ટેકનિકલ અને સાયન્ટિફિક બંને પ્રકારની મંજૂરી આપવામાં આવી છે. નેપાળના નેતાએ કહ્યું કે જાનકી મંદિર બાદમાં રામ મંદિર ટ્રસ્ટના સ્પષ્ટીકરણ મુજબ અયોધ્યાના રામ મંદિર માટે ધનુષ્ય મોકલશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
