મોદી લહેરને રોકવા માટે મહાગઠબંધન જરૂરીઃ શરદ પવાર
એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, ભાજપને રોકવા માટે સમાન વિચારધારાવાળી પાર્ટીઓએ એકસાથે થવું જોઇએ.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર બની છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ ને પ્રચંડ બહુમત મળ્યો તથા મણિપુર અને ગોવામાં ભાજપે સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવી છે. લોકસભા ચૂંટણી બાદ ભાજપનું કદ જે રીતે વિસ્તરી રહ્યું છે, તેને કારણે વિરોધી પક્ષોમાં ડર ઊભો થઇ રહ્યો છે.

કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ ભાજપને રોકવા માટે મહાગઠબંધનની વાત કહી છે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, ભાજપને રોકવા માટે સમાન વિચારધારાવાળી પાર્ટીઓએ એકસાથે થવું જોઇએ. શરદ પવારે બિન-ભાજપ મહાગઠબંધન બનાવવાનું સૂચન કર્યું છે.
ગુજરાતના અમદાવાદમાં એનસીપીના નવા કાર્યાલયના ઉદઘાટન માટે આવેલા શરદ પવારે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીઓમાં જે રીતે ભાજપે સમર્થન મેળવ્યું છે, એને રોકવા માટે સમાન વિચારધારાવાળા દળોએ સાથે થવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ભાજપને રોકવા માટે તમામ બિન-ભાજપ પાર્ટીઓએ પોતાની ખામીઓનું આત્મવિશ્લેષણ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે, તમામ બિન-ભાજપ પાર્ટીઓએ સાથે થવું જોઇએ. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ અંગે તેમની કોઇ દળ સાથે વાતચીત નથી થઇ. શરદ પવારે કહ્યું કે, કોંગ્રેસ સાથે તેમનું ગઠબંધન ચાલુ રહેશે. તેમણે અન્ય દળો સાથે ગઠબંધનના દ્વાર પણ ખુલ્લા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સાથે રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ પણ મહાગઠબંધનની વાત કહી ચૂક્યાં છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
