વડાપ્રધાન પદ માટે શત્રુધ્નની પસંદ છે 'ગૉડફાધર' અડવાણી
નવી દિલ્હી, 23 જુલાઇ: ભાજપના નેતા શત્રુધ્ન સિંહાના એક નિવેદનથી તેમની પાર્ટીમાં રાજકારણ ખળભળાટ મચી ગયો છે. તેમને કહ્યું હતું કે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પાર્ટીના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતાં લાલકૃષ્ણ અડવાણી વધુ પસંદ છે. શત્રુધ્ન સિંહાએ એમપણ કહ્યું હતું કે પાર્ટીમાં જે પ્રકારે વરિષ્ઠ નેતાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે તેનાથી તે ખૂબ ચિંતિત છે.
ભાજપના નેતાએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના મિત્ર છે, લોકપ્રિય નેતા છે અને તેમને પસંદ પણ છે, પરંતુ જ્યાં સુધી વડાપ્રધાનના પદની વાત છે તો લાલકૃષ્ણ અડવાણી સૌથી કદાવર, અનુભવી નેતા છે જે આ પદ માટે મારી પ્રથમ પસંદગી છે.

તેમને લાલકૃષ્ણ અડવાણી વિશે કહ્યું હતું કે તે એક એવા નેતા છે જેમને પાર્ટીને ઉભી કરી છે અને તે બધાને સાથે લઇને ચાલવામાં સક્ષમ છે. તેમને કહ્યું હતું કે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીના સહયોગ અને આર્શીવાદથી જ થવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિંહાના ગૉડફાધર માનવામાં આવે છે. આ પહેલાં પણ શત્રુધ્ન સિંહાએ અડવાણીના સમર્થનમાં બોલીને નરેન્દ્ર મોદીના સમર્થકોની નારાજગી મળી છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
