મગરના આંસુ દેખાડવાથી કોઇ ફાયદો નહીં થાય - પન્નીરસેલ્વમ
પન્નીરસેલ્વમે પણ સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, શશિકલાના આંસુ મગરના આંસુ છે, એનાથી કોઇ ફાયદો નહીં થાય.
તમિલનાડુમાં શરૂ થયેલાં રાજકારણીય દંગલમાં હવે વાકયુદ્ધ શરી થઇ ચૂક્યું છે. એઆઇએડીએમકે હાલ બે દળમાં વહેંચાઇ ગયું છે. એક દળ ઓ.પન્નીરસેલ્વમ ના સમર્થનમાં છે તો બીજુ શશિકલા ના સમર્થનમાં. બંન્ને નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે અને પોતે અમ્મા ના રસ્તે ચાલતા હોવાનો દાવો કરી રહ્યાં છે.

રવિવારે શશિકલા કુવાથુરમાં પાર્ટીના ધારાસભ્યોને મળ્યાં હતા, જે દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા હતા અને ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. શશિકલાના સંબોધનના તુરંત બાદ પન્નીરસેલ્વમે પોતાના સમર્થકોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, શશિકલાના આંસુ મગરના આંસુ છે, એનાથી કોઇ ફાયદો નહીં થાય. પાર્ટીના ધારાસભ્યો મારા સંપર્કમાં છે.
તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટીના ધારાસભ્યોને નજરબંધ કરવામાં આવ્યા છે અને દરેક ધારાસભ્ય પાછળ 4 ગુંડા લગાવવામાં આવ્યા છે. તેમણે સમર્થકોને સવાલ કર્યો કે, કાલે શશિકાલા કુવાથુરમાં ધારાસભ્યોને મળવા કેમ ગયા? જયલલિતાની ભત્રીજી દીપાને અમ્માના શબના દર્શન કેમ ન કરવા દેવામાં આવ્યા? મગરના આંસુ વહેવડાવવાથી કે વાતો બનાવવાથી કોઇ ફાયદો નહીં થાય. અમે વિધાનસભામાં બધું સાબિત કરી દઇશું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
