રંજન ગોગોઈની મુશ્કેલીઓ વધી, શિવસેના અને IUML પણ લાવી વિશેષાધિકાર પ્રસ્તાવ
રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સામે રાજ્યસભામાં વધુ બે પાર્ટી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી છે.
નવી દિલ્લીઃ રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સામે રાજ્યસભામાં વધુ બે પાર્ટી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી છે. શિવસેના અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(આઈયુએમએલ)એ ગોગોઈ સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે. શિવસેના અને આઈયુએમએલ પહેલા ટીએમસી, કોંગ્રેસ, સપા, સીપીઆઈ(એમ) પણ રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈ સામે રાજ્યસભામાં વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરી ચૂકી છે.
શું કહ્યુ છે રંજન ગોગોઈએ
રંજન ગોગોઈને હાલમાં જ એક ટીવી ઈન્ટરવ્યુમાં રાજ્યસભામાં તેમની ઉપસ્થિતિ વિશે પૂછવામાં આવ્યુ હતુ. આના પર તેમણે કહ્યુ, કોરોનાને લઈને સંસદમાં સોશિયલ ડિસ્ટંસીંગના નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તેમનુ પાલન કરવામાં આવી રહ્યુ નથી. બેસવાની વ્યવસ્થા મને બહુ સહજ નથી લાગતી. જ્યારે મારુ મન કરે છે, જ્યારે મને લાગે છે કે મહત્વપૂર્ણ મામલો છે જેના પર મારે બોલવુ જોઈએ, હું રાજ્યસભા જતો રહુ છુ. હું એક નોમિનેટેડ સભ્ય છુ, કોઈ પાર્ટીના વ્હિપ મારા પર લાગુ થતા નથી માટે હું ત્યાં પોતાની મરજીથી જઉ છુ અને મરજીથી બહાર આવી જઉ છુ.
પ્રસ્તાવ પાસ થયો તો વધશે મુશ્કેલીઓ
રંજન ગોગોઈના આ ઈન્ટરવ્યુને લઈને વિપક્ષી દળ નારાજ છે. આને લઈને ઘણા પક્ષોએ તેમની સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ દાખલ કર્યો છે. પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નિવેદનથી વિશેષાધિકારનો ઉલ્લંઘન થયુ છે. જો રાજ્યસભાના સભાપતિ વિશેષાધિકાર હનન પ્રસ્તાવનો યોગ્ય માને છે તો તેને હાઉસ પ્રિવિલેજ કમિટી આગળ મોકલી શકાય છે. રાજ્યસભામાં વિશેષાધિકાર પ્રસ્તાવ પાસ થવા પર સભ્યનુ રાજ્યસભાનુ સભ્યપદ પણ જઈ શકે છે.