શિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, ‘છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષની સહયોગી શિવસેનાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના છત્રપતિ શિવાજી અંગે આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષની સહયોગી શિવસેનાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના છત્રપતિ શિવાજી અંગે આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. હાલમાં જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી સાથે પીએમ મોદીની તુલના કરી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતે સીએમ યોગીના આ નિવેદન બાદ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ છે કે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનકાળમાં ક્યારેય 'રમખાણોની રાજનીતિ' કરી નથી.

‘શિવાજીથી બિલકુલ અલગ છે ભાજપ'
બુધવારે મુંબઈમાં વરિષ્ઠ પત્રકાર જનબ સઈદ હામિકના પુસ્તક ‘છત્રપતિ શિવાજી મહારાજ અને મુસલમાન' ના વિમોચન પ્રસંગે સંજય રાઉતે કહ્યુ, '17 મી સદીમાં મરાઠા રાજા છત્રપતિ શિવાજીના જીવનની વિશેષતાઓ, વર્તમાન સત્તારુઢ ભારતીય જનતા પક્ષથી એકદમ અલગ હતા. હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીની તુલના છત્રપતિ શિવાજી સાથે કરી, જો કે તે ભૂલી રહ્યા છે કે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનમાં ક્યારેય રમખાણોની રાજનીતિ કરી નહોતી.'

રાફેલ અંગે પીએમ પર સાધ્યુ નિશાન
સંજય રાઉતે વિવાદિત રાફેલ ડીલ પર ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અંગે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સંજય રાઉતે કહ્યુ, ‘દરેક જણ એ જાણવા માટે ઉત્સુક છે કે સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ પણમ પ્રકારનો અનુભવ ન ધરાવતી કંપની સાથે રાફેલ વિમાન બનાવવાનો સોદો કર્યા બાદ આ લડાકૂ વિમાનોની કિંમત પોતાની વાસ્તવિક કિંમત કરતા ત્રણ ગણી કેવી રીતે વધી ગઈ? આ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન પણ ચોંકાવનારુ છે.'

‘શિવાજીની સેનામાં મહત્વના પદો પર હતા મુસલમાન'
કાર્યક્રમમાં સંજય રાઉતે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મુસ્લિમોની ભાગીદારીની પણ પ્રશંસા કરી. સંજય રાઉતે કહ્યુ, ‘છત્રપતિ શિવાજીએ પોતાની સેનામાં મહત્વપૂર્ણ પદો પર મુસ્લિમ સમાજના લોકોને તૈનાત કર્યા હતા.' કાર્યક્રમમાં હાજર એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ, ‘આરએસએસના હિંદુ રાષ્ટ્રની નવી પરિભાષા બાદ સંજય રાઉતે મુસલમાનોના હકમાં એક પગલુ આગળ વધીને સેક્યુલર વલણ અપનાવ્યુ છે.'
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
