મુંબઈમાં 18 લોકોના મોત પર શિવસેના બોલી, 'ઘટના માટે BMC જવાબદાર નથી'
મુંબઈના મલાડમાં દિવાલ પડવાથી 18ના મોત થયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ મોત માટે ગેરકાયદેસર નિર્માણને જવાબદાર ગણાવ્યુ છે.
મહારાષ્ટ્રના મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ ચાલી રહ્યો છે. વરસાદના કારણે મુંબઈમાં બે જગ્યા મલાડ અને કલ્યાણમાં દિવાલ પડી ગઈ. મલાડમાં દિવાલ પડવાથી 18ના મોત થયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ મોત માટે ગેરકાયદેસર નિર્માણને જવાબદાર ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ ઘટના માટે બીએમસી જવાબદાર નથી. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસોથી મુંબઈમાં થઈ રહેલ વરસાદે બે દશકનો રેકોર્ડ તોડી દીધો છે.

મલાડની દૂર્ઘટના પર પ્રતિક્રિયા આપતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે આ બીએમસીની નિષ્ફળતા નથી. આ એક દૂર્ઘટના છે. આનુ કારણ ભારે વરસાદ છે. મુંબઈમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર નિર્માણ છે. બીએમસીનું આની સાથે કોઈ લેવાદેવા નથી. વળી, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) તરફથી કહેવામાં આવ્યુ છે કે આજે (2 જુલાઈ) બધી સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે. આ સાથે જ બધી સરકારી અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે.
Sanjay Raut, Shiv Sena on 18 dead after wall collapsed on hutments in Pimpripada, Malad East due to heavy rainfall today: It’s not BMC’s failure. It is an accident. It is because of heavy rainfall. There are several illegal constructions in Mumbai & BMC has nothing to do with it. pic.twitter.com/irvfVYR9kx
— ANI (@ANI) 2 July 2019
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે મલાડમાં થયેલી દૂર્ઘટનામાં ગયેલા જીવ માટે તે દુઃખી છે અને બધા પરિવારો સાથે છે. બધા ઘાયલોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરે છે. મુખ્યમંત્રીએ બધા મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યુ છે. વરસાદના કહેરને જોતા સેન્ટ્રલ રેલવેએ પણ અમુક લાંબા અને નાના અંતરની ટ્રેનો રદ કરી દીધી છે. રેલવે તરફથી લગભગ આઠ મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
સ્કાઈમેટે જણાવ્યુ કે મુંબઈમાં ત્રણ જુલાઈથી પાંચ જુલાઈ વચ્ચે પૂરનુ ગંભીર જોખમ છે. આ દરમિયાન 200 મિમી કે તેનાથી વધુ વરસાદ રોજ થશે કે જે સામાન્ય જનજીવન અટકાવી દેશે. મુંબઈમાં બે દિવસની અંદર 550 મિમી વરસાદ થયો જે છેલ્લા એક દશકમાં બે દિવસમાં થયેલો સૌથી વધુ વરસાદ છે. સોમવારે સવારે થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયુ જેના કારણે ટ્રાફિક જામ પણ થયો અને ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
