Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગડકરી અને રાજ ઠાકરેની મુલાકાત પર ઉદ્ધવે વ્યક્ત કર્યો વિરોધ

મુંબઇ, 4 માર્ચ: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી અને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની મુલાકાત બાદ મહારાષ્ટ્રનું ગરમાઇ ગયું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બંનેની મિત્રતા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપમાં કમ્યૂનિકેશનનો અભાવ છે. શિવસેનાના સમાચાર પત્ર સામનામાં છપાયેલા નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતને લઇને વિરોધ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું છે કે તે આ અંગે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે વાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નિતિન ગડકરીના રાજ ઠાકરે સાથે સારા સબંધ છે. તેમણે રાજ ઠાકરે સાથે મુંબઇની હોટલમાં મુલાકાત કરી. નિતિન ગડકરીએ ત્યારબાદ કહ્યું હતું કે તે ઇચ્છે છે કે રાજ ઠાકરે એનડીએ ગઠબંધનમાં આવી જાય.

2009ની ચૂંટણીની શરૂઆત કરતાં મોટાપાયે મરાઠી વોટોના ભાગલા પાડ્યા હતા જેથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો. આ ઘટનાક્રમથી રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો કારણ કે શિવસેના મનસેની પારંપારિક પ્રતિદ્રંદ્રી છે અને ભાજપની સહયોગી પાર્ટી છે.

raj-nitin-udhhav

પૂર્વમાં પણ પ્રદેશ ભાજપ નેતૃત્વએ રાજ ઠાકરેને ભુલવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પ્રયત્નોને તે સમય ઝટકો લાગ્યો જ્યારે રાજ ઠાકરેએ અહીં એક રેલી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિકાસના ગુજરાત મોડલનો રાગ આલપવા અને દિગજ્જ શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના ઉલ્લેખથી વાંધા માટે ટીકા કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X